બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:37 PM, 11 January 2025
'ઘેર બેસીને પત્નીને ક્યાં સુધી ઘોર્યો કરશો' 90 કલાક કામ કરો તેવું બોલનાર L&Tના ચેરમેન એસએન સુબ્રમણ્યમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આકરો જવાબ આપીને ચૂપ કરી દીધાં છે. દિલ્હીમા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગને સંબોધિત કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ મુદ્દે ચર્ચા ખોટી છે, કારણ કે હું જથ્થાબંધ કામમાં નહીં પરંતુ કામની ગુણવત્તામાં માનું છું. મારો મુદ્દો એ છે કે આપણે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કામના જથ્થા પર નહીં. તેથી તે લગભગ 48, 40 કલાકની વાત નથી, તે લગભગ 70 કલાકની નથી, તે 90 કલાકની પણ વાત નથી.
ADVERTISEMENT
‘मेरी पत्नी बहुत ही अच्छी हैं। मैं उनको देखता रहता हूँ. बहस Quality Of Work पर होनी चाहिए, Quantity पर नहीं’
— Sanket Upadhyay (@sanket) January 11, 2025
L&T प्रमुख के ‘90 घंटा काम’ ‘बीवी को कब तक देखोगे’ जैसे बयान पर बोले Industrialist @anandmahindra pic.twitter.com/qhf9Kh93qg
મને પત્ની સામે ઘુરવાનું ગમે છે
ADVERTISEMENT
પત્નીને ક્યાં સુધી ઘુર્યાં કરશો આ ટીપ્પણીનો જવાબ આપતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે હું સોશિયલ મીડિયા પર X પર છું એટલા માટે નહીં કે હું એકલો છું. મારી પત્ની અદ્ભુત છે, મને તેની તરફ જોવું ગમે છે. હું વધુ સમય પસાર કરું છું. તેથી હું અહીં મિત્રો બનાવવા માટે નથી. હું અહીં છું કારણ કે લોકો સમજી શકતા નથી કે તે એક અદ્ભુત વ્યવસાય સાધન છે. આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા માનતા હતા કે તેમની કંપનીમાં એવા નેતાઓ અને લોકો હોવા જોઈએ જે સમજદારીભર્યા નિર્ણયો અને પસંદગીઓ કરે.
ઘેર બેસીને પત્નીને ક્યાં સુધી તાક્યા કરશો
L&T ચેરેમન એસએન સુબ્રમણ્યમે પણ આવું નિવેદન આપવા બદલ સોશિયલ મીડિયામાં નિશાન પર આવ્યાં છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્મચારીઓને સંબોધતા સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મને ખેદ છે હું તમને રવિવારે કામ કરવા માટે સક્ષમ નથી. જો હું તમને રવિવારે પણ કામ પર લઈ જઈ શકું તો મને ખૂબ આનંદ થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. તેમણે કામના કલાકો વધારવાની હિમાયત કરી હતી. એસએન સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ વીકએન્ડનો સમય ઘરે ન પસાર કરવો જોઈએ. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? તમારી પત્ની ક્યાં સુધી તમારી સામે જોઈ શકે છે? કર્મચારીઓએ રવિવારે પણ ઓફિસમાં આવીને કામ કરવું જોઈએ.
#WATCH | On L&T Chairman SN Subrahmanyan advocates a 90-hour work week, Mahindra Group Chairman Anand Mahindra says, "I have a huge respect for Narayan Murthy and others. So let me not get this wrong. But I have to say something. I think this debate is in the wrong direction… pic.twitter.com/7g5zjNeHWO
— ANI (@ANI) January 11, 2025
નારાયણ મૂર્તિએ શું કહ્યું હતું?
ઓક્ટોબર 2023માં નારાયણ મૂર્તિએ પણ લોકોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે ભારતના યુવાનોએ ચીન જેવા દેશોથી આગળ જવા માટે વધારાના કલાકો કામ કરવાની જરૂર છે. ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે. તેમના નિવેદન પર ભારે ચર્ચા અને વિરોધ થયો હતો. બાદમાં તેમણે કહ્યું કે 70 કલાકની સંખ્યા મહત્વની નથી, પરંતુ સખત મહેનત મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT