હિન્દુ ધર્મમાં વર અને કન્યાની કુંડળી મેળવવાની પરંપરા છે જો કે કેટલાક લોકો આ માન્યતાને નથી માનતા ખાસ કરીને જ્યારે લગ્ન લવમેરેજ હોય. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીનું ખાસ મહત્વ હોય છે. કુંડળી પરથી વ્યક્તિ વિશે ઘણુ જાણી શકાય છે. તો આવો જાણીએ ક્યા લોકોના જીવનમાં લવ મેરેજનો યોગ છે.
પાર્ટનરને પસંદ કરીને કરી લે છે લગ્ન
મિથુન રાશિના લોકો કરે છે લગ્ન
મેષ રાશિના જાતકો મિત્ર સાથે કરે છે લગ્ન
મેષ રાશિ
મેષ રાશિના લોકો ઘણા જ ભાવુક હોય છે અને જે લોકોને તે પ્રેમ કરે છે તેમના પર સંપૂર્ણ ભરોસો કરે છે. આ રાશિના જાતકો તેમના સંબંધોને ખુબ મહત્વ આપે છે અને સંબંધો બનાવી રાખવા માટે ખુબ જ મહેનત કરે છે. મેષ રાશિના લોકો ખાસ કરીને પોતાના જ મિત્ર વર્તુળમાંથી કોઇને પસંદ કરીને તેમની સાથે લગ્ન કરે છે.
વૃષભ રાશિ
આ રાશિના જાતક દ્રઢ નિશ્ચયી અને મહેનતી હોય છે. આ લોકોને ખુબ ઓછી વસ્તુઓ પસંદ આવે છે. સ્વભાવે આ જાતકો ખુબ જીદ્દી હોય છે અને તે નક્કી કરી લે કે તેમને આ પાર્ટનર સાથે લગ્ન કરવા છે તો તેમની સાથે જ લગ્ન કરે છે.
મિથુન રાશિ
પોતાના મજાકીયા સ્વભાવના કારણે મિથુન રાશિના લોકો બીજા લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. તે પોતાના કામને લઇને ગંભીર નથી હોતા પરંતુ પાર્ટનરને લઇને લઇને ખુબ ગંભીર હોય છે. આ રાશિના લોકો તેવા લોકો સાથે જ લગ્ન કરે છે જે તેમના નખરા ઉઠાવવા તૈયાર હોય. પહેલાથી જેને જાણતા હોય તે લોકો સાથે જ લગ્ન કરે છે.
ઘન રાશિ
આ રાશિના લોકો ખુબ જ વ્યવસ્થિત હોય છે અને તે જેને ચાહે છે તેની જ સાથે લગ્ન કરે છે. ઘન રાશિના લોકો પોતાની મર્જીથી લગ્ન કરે છે. આ લોકો અરેન્જ મેરેજથી દૂર ભાગે ચે અને પોતાની પસંદનો પાર્ટનર સિલેક્ટ કરે છે. તેના પાર્ટનર સાથે કોઇ પણ પરિસ્થિતિમાં ઉભા રહે છે.
મકર રાશિ
મકર રાશિના લોકો જેને પ્રેમ કરે છે તેનો સાથ ક્યારેય નથી છોડતા અને બાળપણથી જેને પ્રેમ કરે છે બદલામાં તે વ્યક્તિ પણ તેને પ્રેમ કરે તો તેની જ સાથે લગ્ન કરી લે છે. આ રાશિના જાતકોના મોટા ભાગે લવ મેરેજ થાય છે.