રાજસ્થાનના CM અશોક ગેહલોતે આજે ભાજપને લવ જેહાદની વિચારધારા ફેલાવા બદલ ભાજપની આકરી ઝાટકણી કાઢી હતી.
તેમણે કહ્યું કે શાસક પક્ષ દેશને વિભાજીત કરી રહ્યો છે અને દેશના કોમી એખલાસને છંછેડી રહ્યો છે. નોંધનીય છે કે ઘણા બધા ભાજપ શાસિત રાજ્યો હિન્દુ મહિલા અને મુસ્લિમ પુરુષના લગ્નને લવ જેહાદ ગણીને તેના વિરુદ્ધમાં કાયદા બનાવવાની પ્રક્રિયા વિચારી રહ્યા છે.
Love Jihad is a word manufactured by BJP to divide the Nation & disturb communal harmony. Marriage is a matter of personal liberty, bringing a law to curb it is completely unconstitutional & it will not stand in any court of law. Jihad has no place in Love.
1/
અશોક ગેહલોતે વધુમાં કહ્યું હતું કે લગ્ન એક સ્વતંત્ર પસંદગીની બાબત છે. આ સ્વતંત્રતાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના કાયદા બનાવવા એ સંપૂર્ણ ગેરબંધારણીય છે અને કોઈ અદાલત આવા કાયદાઓ સ્વીકારશે નહીં. પ્રેમમાં જેહાદ શબ્દનો કોઈ ઉલ્લેખ નથી.
They are creating an environment in the nation where consenting adults would be at the mercy of state power. Marriage is a personal decision & they are putting curbs on it, which is like snatching away personal liberty.
2/
તેમણે કહ્યું હતું કે ભાજપ દેશમાં એક એવું વાતાવરણ ઉભું કરી રહ્યું છે જ્યાં વયસ્કોએ પણ પોતાની પસંદગી માટે રાજ્ય સરકાર ઉપર આધારિત રહેવું પડશે. બંધારણમાં નાગરિકો સામે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવાની જોગવાઈ કરાયેલી છે. લવ જેહાદના કાયદા બંધારણનો સીધો ભંગ છે.
It seems a ploy to disrupt communal harmony, fuel social conflict & disregard constitutional provisions like the state not discriminating against citizens on any ground.
3/
દેશભરમાં ઘણા હિન્દુ સંગઠનો એવો આરોપ લગાવી રહ્યા છે કે મુસ્લિમ યુવાનો હિન્દુ મહિલાઓને ફોસલાવીને તેમની સાથે લગ્ન કરીને તેમને અને તેમના પરિવારને ફરજીયાત ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવે છે. આ રીતે મુસ્લિમ ધર્મ ફેલાવવાના આક્ષેપને લવ જેહાદ કહે છે.