ગુજરાત સરકાર પણ યુપી એમપીની જેમ ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવવાની તૈયારીઓ કરી રહી છે. આ મામલે સાંસદો અને ધારાસભ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતા મુખ્યમંત્રી રૂપાણીએ આ દિશામાં વિચારવાનું શરૂ કરી દીધુ છે.
UP,MP બાદ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદાની શક્યતા
રાજ્ય સરકારે સંબંધિત મંત્રાલયોનું કર્યુ નિર્દેશન
ગૃહ-કાયદા-કાયદાકીય અને સંસદીય બાબતોનું નિર્દેશન
ગુજરાત સરકાર UP અને MPના લવ જેહાદના કાયદાને અનુસરી શકે છે. ગુજરાતના MP અને MLA પણ લવ જેહાદના કાયદાની કરી ચુક્યા છે. આ મામલે રાજ્ય સરકારે સંબધિત મંત્રાલયોને નિર્ધેશ કરીને કાયદા અંગે તૈયારીઓ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ગૃહ-કાયદા-કાયદાકીય અને સંસદીય બાબતોનું નિર્દેશન કરી રહ્યો છે.
મનસુખ વસાવા સહિતના સાંસદોએ કાયદાની કરી છે માગ
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી હતી. મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ-જેહાદ બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતાં ખળભળાટ મચ્યો હતો. આ પહેલાં ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)એ ગુજરાતમાં લવ-જેહાદ મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માગ મૂકી હતી. તો સાસંદ રંજન ભટ્ટ પણ આ વિશે રજૂઆતો કરી ચુક્યા છે.
સાંસદ રંજનબેન ભટ્ટે પણ ઉઠાવી હતી માંગ
સાસંદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવવો જ જોઈએ. સંસ્કારી નગરી વડોદરામાં દીકરીઓને પટાવી ફોસલાવીને લઈ જઈને પરિવર્તન કરવામાં આવે છે તે ખોટુ છે. હવે આ દીકરી સમજી ગઈ છે. બે દિવસથી હું પણ આ દીકરીને સમજાવું છું અને એ પણ સમજી ગઈ છે કે જે તેનાથી થયું તે ખોટુ થયુ છે. લવજેહાદના કાયદાથી હિન્દુ દીકરીઓને થતો અન્યાય ઘટાડી શકાશે. મુખ્યમંત્રીશ્રીને અમે આ અંગે જરૂર જણાવીશું.
ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં લવ જેહાદના મામલા સામે આવ્યા બાદ યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો જાહેર કર્યો હતો. હવે યોગી કેબિનેટે પણ આ કાયદાને મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે 24 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી. આ બાદ આને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબહેન પટેલે આજે આ અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. અધ્યાદેશમાં જણાવ્યાનુંસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે, આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવાની રહેશે.
નિયમ તોડવા પર થશે આટલી સજા
આ પ્રપત્રનું ઉલંઘન કરનારને થશે ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુંમાં વધુ 3 વર્ષની જેલની સજા. સાથે ઓછામાં ઓછી 10 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલંઘન કરશે તે તેમને ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધું 5 વર્ષની સજા થઈ શકે છે. ત્યારે ઓછામાં ઓછા 25 હજાર રુપિયાનો દંડ લગાવી શકાય છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુરે એક લેક્ચર દરમિયાન કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હાલમાં જ પસાર થયેલા અધ્યાદેશ દુર્ભાગ્યપૂર્ણ છે. જેમાં જબરજસ્તી, વિશ્વાસઘાત અથવા છેતરીને કે ફોસલાવીને ધર્માંતરણ કરી લગ્ન કરાવવાની વાત કરવામાં આવી છે. એવું એટલા માટે છે કે આ અધ્યાદેશ પસંદગીની આઝાદી, ગરિમા અને માનવાધિકારોને અનદેખી કરે છે. મદન લોકુરે કહ્યું કે આ ધર્માંતરણ સંબંધીત લગ્નોની વિરુદ્ધ આ કાયદો સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી પસંદગીની આઝાદી અને વ્યક્તિની ગરિમાની રક્ષા માટે વિકસિત કરવામાં આવેલા ન્યાયશાસ્ત્રનું ઉલંઘન છે.
પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે
તેમણે 2018માં હાદિયા કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હાદિયા કેસમાં 2018માં સુપ્રીમ કોર્ટ તરફી આપવામાં આવેલો આદેશ શુ હતો. તેમણે કહ્યું કે એક મહિલા પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ અપનાવી શકે છે અને પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે.