ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્ન કોર્ટ રદ કરી શકશે
લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તન પણ રદ થઈ શકશે
ગુજરાતમાં લવ જેહાદના કાયદાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અમલી બની જશે. જે બાદ ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્નને કોર્ટ રદ કરી શકશે. અને લગ્નના હેતુથી કરેલા ધર્મ પરિવર્તન પણ રદ થઈ શકશે.
ગુનો કરનાર, કરાવનાર, મદદગાર, સલાહકારને પણ થશે સજા
બળપૂર્વક, લલચાવીને, કપટથી ધર્મ પરવિર્તન નહીં થઈ શકે
સગીર, સ્ત્રી, SC, STના કેસમાં 4થી 7 વર્ષ કેદની જોગવાઈ
Sકાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે
ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003નો અત્યાર સુધી હતો અમલ
મહત્વનું છે કે, 22 મેના દિવસે ગુજરાતમાં રાજ્યપાલે 8 બિલને મંજૂરી આપી છે. આ તમામ બિલને ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યા હતા. ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીયન, ગુજરાત લવ જેહાદ (ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021) અશાંત ધારા સુધારા બિલ, ગુજરાત ક્લીનિકલ એસ્ટાબ્લીશમેન્ટ સુધારા બીલ અને ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ સહિતના 8 બિલને મંજૂરી આપવામાં આવી હતી.
આ સમયે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે 14મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં 15 જેટલા વિધેયકો રજૂ કરાયા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજૂર થયેલા 7 વિધેયકો પ્રસિદ્ધ થયા બાદ હવે બાકીના 8 વિધેયકોને રાજ્યપાલની મંજૂરી અને મહોર લાગી છે. તે હવે એક્ટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આમ રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા તમામ 15 વિધેયકોને રાજયપાલે મંજુરીની મહોર મારી છે.