પાલનપુરમાં મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લવ જેહાદના મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
લવ જેહાદ મામલે પાલનપુરમાં સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા આક્રોશ
જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ધર્મ પરિવર્તનના ષડયંત્ર સામે હિન્દૂ સમાજમાં રોષ ફેલાયો
લવ જેહાદના મામલે આજે જિલ્લા મથક પાલનપુરમાં સમસ્ત હિન્દૂ સમાજ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું પાલનપુરમાં મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લવ જેહાદના મામલે આક્રોશ વ્યક્ત કર્યું હતું.છેલ્લા કેટલાય સમય થી હિન્દૂ સમાજની દીકરીઓને વિધર્મીઓ દ્વારા લલચાવી ફોસલાવી પ્રેમજાળ માં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના ચાલતા ષડયંત્ર સામે હિન્દૂ સમાજ માં રોષ ફેલાયો છે.
તેમજ આવી ઘટનાઓ સામે યોગ્ય નિર્ણય નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.vતાજેતરમાં પાલનપુર બનેલી લવ જેહાદના ષડયંત્ર સામે હિન્દૂ સમાજ ના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લવ જેહાદ માં ફસાયેલી હિન્દુ સમાજની દીકરી પરત આપવાની સાથે સરકાર દ્વારા લવ જેહાદ નો કડક કાયદો બનવામાં આવે તેવી માંગ કરી છે.
વડોદરામાં લવ જેહાદનો કિસ્સો
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતા એક વિધર્મી યુવક સાથે ભાગીને મુંબઇમાં લગ્ન કર્યા હતા જો કે, દીકરીના આ પગલાથી આઘાત પામેલા પિતાનું દીકરી ભાગ્યાના સાતમાં દિવસે નિધન થયું હતું.
ફરીવાર ભાગી જતા સમગ્ર પંથકમાં ચકચાર
લવ-જેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઈ ન હતી. બંનેને પોતપોતાનાં ઘરે મોકલી કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું અને યુવતી પોતાના ઘરે પરત આવી હતી. જો કે, 34 દિવસ બાદ આજરોજ ફરીવાર ભાગી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી .
લવ જેહાદ શું છે?
લવ જેહાદની કથિત પરિભાષ કંઈક એવી છે કે મુસ્લિમ યુવક બિન મુસ્લિમ યુવતીને પ્રેમના જાળમાં ફસાવે છે. જે બાદ તેનું ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરે છે.
2009માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ UK અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.
તિરુવનંતપુરમ (કેરળ)માં સપ્ટેમ્બર 2009માં શ્રીરામ સેનાએ લવ જેહાદ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવ્યા હતા. ઓક્ટોબર 2009માં કર્ણાટક સરકારે લવ જેહાદને ગંભીર મુદ્દો ગણાવતા CID તપાસના આદેશ આપ્યા કે જેથી તેની પાછળ સંગઠિત ષડયંત્રની ભાળ મેળવી શકાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે NIAની તપાસ પણ કરાવી હતી, જ્યારે એક હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્યા કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. યુવતીના પિતાએ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ થવા માટે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તપાસમાં કંઈ બહાર ન આવ્યું અને યુવતીએ પોતે જ સુપ્રીમ કોર્ટમાં જઈને પોતાની પ્રેમ કહાની વર્ણવી હતી.