વડોદરામાં લવજેહાદના કિસ્સાએ ફરીએકવાર ચકચાર મચાવી છે. 34 દિવસ ઘરે રહ્યા બાદ નાગરવાડાની હિન્દુ યુવતી ફરી એકવાર વિધર્મી યુવક સાથે પલાયન થઇ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વડોદરાના નાગરવાડા લવ જેહાદનો મામલો
34 દિવસ બાદ યુવતી વિધર્મી યુવક સાથે ફરી પલાયન
17 ડિસેમ્બરના રોજ વિધર્મી યુવક યુવતી સાથે ઝડપાયો હતો
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતા એક વિધર્મી યુવક સાથે ભાગીને મુંબઇમાં લગ્ન કર્યા હતા જો કે, દીકરીના આ પગલાથી આઘાત પામેલા પિતાનું દીકરી ભાગ્યાના સાતમાં દિવસે નિધન થયું હતું.
ફરીવાર ભાગી જતા સમગ્ર પંથકમાં ચકચાર
લવ-જેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઈ ન હતી. બંનેને પોતપોતાનાં ઘરે મોકલી કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું અને યુવતી પોતાના ઘરે પરત આવી હતી. જો કે, 34 દિવસ બાદ આજરોજ ફરીવાર ભાગી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી .
લવ જેહાદ શું છે?
લવ જેહાદની કથિત પરિભાષ કંઈક એવી છે કે મુસ્લિમ યુવક બિન મુસ્લિમ યુવતીને પ્રેમના જાળમાં ફસાવે છે. જે બાદ તેનું ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરે છે.
2009માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ UK અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.
તિરુવનંતપુરમ (કેરળ)માં સપ્ટેમ્બર 2009માં શ્રીરામ સેનાએ લવ જેહાદ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવ્યા હતા. ઓક્ટોબર 2009માં કર્ણાટક સરકારે લવ જેહાદને ગંભીર મુદ્દો ગણાવતા CID તપાસના આદેશ આપ્યા કે જેથી તેની પાછળ સંગઠિત ષડયંત્રની ભાળ મેળવી શકાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે NIAની તપાસ પણ કરાવી હતી, જ્યારે એક હિંદુ યુવતીએ મુસ્લિમ પ્રેમી સાથે લગ્યા કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. યુવતીના પિતાએ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ થવા માટે ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તપાસમાં કંઈ બહાર ન આવ્યું અને યુવતીએ પોતે જ સુપ્રીમ કોર્ટમાં જઈને પોતાની પ્રેમ કહાની વર્ણવી હતી.