મલાઈકાએ પોતાના લગ્નના પ્લાન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે દરેક વસ્તુનો અંત લગ્ન શા માટે છે? હાલ તો હું અર્જુન સાથે પ્રી-હનીમૂન ફેઝ માણું છું
મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથેના સંબંધો વિશે વાત કરી
પ્રેમની કોઈ ઉંમર નથી હોતી - મલાઈકા અરોરા
અર્જુન સાથે પ્રી-હનીમૂન ફેઝ માણું છું
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કામની સાથે સાથે તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. મલાઈકા પોતાનાથી નાના અભિનેતાને ડેટ કરી રહી છે અને એ વાતને કારણે ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ સાથે જ ઘણા લોકો અરબાઝ ખાન સાથે મલાઈકાના છૂટાછેડા માટે લોકો અર્જુન કપૂરને પણ કારણ માને છે. જો કે વાત અલગ છે કે અભિનેત્રીએ આ મામલે ઘણી વખત ખુલાસો કરતાં કહ્યું છે કે તેના અને અરબાઝ વચ્ચે પહેલા જેવું કઈં નહોતું.
મલાઈકા અરોરા ઘણી બધી બાબતો માટે હેડલાઈન્સ બનાવે છે એવામાં ફરી એક વખત મલાઇકા ચર્ચામાં આવી છે. એક વાતચીત દરમિયાન તેણે તેના છૂટાછેડા અને અર્જુન કપૂર સાથેના સંબંધો વિશે વાત કરી હતી.
મહિલાઓ પર હંમેશા સવાલો ઉઠાવવામાં આવે
વાતચીત દરમિયાન મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું હતું કે સમાજમાં મહિલાઓ પર તેમની પસંદગીઓને લઈને હંમેશા સવાલો ઉઠાવવામાં આવે છે. કોઈ તેમને સૂચના આપે છે કે તેઓએ કોઈ વ્યક્તિ સાથે કેવી રીતે રહેવું જોઈએ, તેઓએ કેવી રીતે ડેટ કરવી જોઈએ. તમારે પણ રોજે ઘણી બધી વાતો સાંભળવી પડે છે, તો તમે તેનો સામનો કેવી રીતે કરો છો?
પ્રેમની કોઈ ઉંમર હોતી નથી
આ સવાલનો જવાબ આપતા મલાઈકા અરોરાએ કહ્યું હતું કે 'જ્યારે મારા છૂટાછેડા થયા ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે કેમ છૂટાછેડા લીધા કારણ કે આ ટેગ હંમેશા મારી સાથે રહેશે. પછી જ્યારે છૂટાછેડા લીધા પછી હું ફરી પ્રેમમાં પડી તો લોકોએ કહ્યું કે ફરી કેવી રીતે પ્રેમ મળી શકે. મારાથી નાની વ્યક્તિના પ્રેમમાં પડ્યા પછી મને કહેવામાં આવ્યું કે હું પાગલ થઈ ગઈ છું કે બુદ્ધિ નથી. પણ હું એટલું જ કહીશ કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. જો તમે પ્રેમમાં છો તો તમે છો.
આગળ તેને કહ્યું કે, 'તમે નાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમમાં છો કે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું ખુશ છું કે મને એક એવો જીવનસાથી મળ્યો છે જે મને સમજે છે. મને લાગે છે તે મારા કરતા નાનો છે અને એટલે હું પણ તેની સાથે યુવાન અનુભવું છું. તે મને ખુશ કરે છે. મને લાગે છે કે અહીં હાજર મહિલાઓ મારી સાથે સહમત થશે.
અર્જુન સાથે પ્રી-હનીમૂન ફેઝ માણું છું
મલાઈકાએ પોતાના લગ્નના પ્લાન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે દરેક વસ્તુનો અંત લગ્ન શા માટે છે? લગ્ન એક એવી વસ્તુ છે જેની ચર્ચા બે વ્યક્તિઓ વચ્ચે થાય છે. મલાઈકાના કહેવા પ્રમાણે, તેણે હજુ સુધી લગ્નને લઈને કોઈ નિર્ણય લીધો નથી. જ્યારે આવું કંઈક થશે ત્યારે તે ચોક્કસપણે કહેશે. હાલમાં તે અર્જુન સાથે પ્રી-હનીમૂન ફેઝ માણી રહી છે.