આપણા સમાજમાં પતિ-પત્ની સંબંધને સાત જન્મ આવે છે. જોકે પતિ-પત્નીના સંબંધમાં જ્યારે 'વો'ની એન્ટ્રી થાય છે. ત્યારે અનેક પરિવાર બરબાદ થઇ જાય છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરણિતા અને તેના આંશિકના લગ્નેતર સંબંધના કારણે બે પરિવાર પર આફત આવી છે. ચોરી છુપીથી મળતા પ્રેમી અને પરણિતાને પતિએ ઝડપી લેતા જે બન્યું છે તે જાણીને આપ પણ ચોંકી જશો. પોત-પોતાના લગ્ન સાથીદારોને ધોખો આપતા બંને પરણિત પ્રેમી પંખીડાના કેવા હાલ થયા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરણિતાના આડાસંબંધનો કરૂણ અંજામ
ચોરી છુપીથી મળતા પ્રેમી અને પરણિતાને પતિએ ઝડપી લીધા
પ્રેમિકાનો પતિ આવી જતાં પ્રેમીએ સાતમાં માળેથી મોતની છલાંગ
વલસાડના ઉમરગામના ગાંધીવાડમાં આવેલ આ માણેક બિલ્ડીંગમાં દોડધામ મચી જવા પામી હતી. વહેલી સવારે સાતમા મળે એક ફ્લેટમાં બબાલનો અવાજ આવતા જ બિલ્ડીંગના લોકો એકત્ર થઇ ગયા હતા. અચાનક ધડામ કરીને સાતમાં માળેથી એક વ્યક્તિ નીચે પડવાની ઘટનાના કારણે સનસની ફેલાઈ ગઈ હતી. સાતમાં માળેથી એક વ્યક્તિનું નીચે પટકાતા તેનું કમકમાટીભર્યું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકીકત બહાર આવી હતી તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે ઉપરથી પટકાયેલી યુવક એક પ્રેમી હતો, જે તેની પરણિત પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. પરંતુ એ વખતે જ પ્રેમિકાનો પતિ આવી જતાં તેણે સાતમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી.
પ્રેમી યુવક બચવા અને કોઇ રસ્તો ન મળતા બિલ્ડિંગ પરથી લગાવી મોતની છલાંગ
આ ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારની છે. જ્યાં માણેક ટાવર નામની બિલ્ડિંગમાં રહેતી એક પરણિત પ્રેમિકાને મળવા તેનો પ્રેમી રાજુ દુબળા ગયો હતો. પતિની ગેરહાજરીમાં પ્રેમી અને પ્રેમિકા બંને ઘર બંધ કરી મળી રહ્યા હતા. એ વખતે જ અચાનક જ પ્રેમિકાનો પતિ આવી ચડ્યો હતો. જેની જાણ થતા આજે પ્રેમી યુવક બચવા માટે ભાગવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ રસ્તો નહીં મળતાં અંતે તેને બિલ્ડિંગના સાતમાં માળેથી પ્રેમિકાના ઘરથી નીચે મોતની છલાંગ લગાવી હતી. નીચે પટકાતા જ ઘટના સ્થળ પર જ તેનું કરુણ મોત નીપજયું હતું. જેને કારણે આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા.
આ યુવક અગાઉ પણ પરિણીત પ્રેમિકા સાથે પકડાઇ ચૂક્યો હતો
સાતમાં માળેથી નીચે પટકાયેલા યુવકના મોતનું કારણ જાણીને સ્થાનિક લોકો પણ ચોંકી ગઈ હતી. સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ આ યુવક અગાઉ પણ તેની આ પરિણીત પ્રેમિકાને મળવા ગયો હતો એ વખતે પણ પકડાઈ ચુક્યો હતો. ત્યારે પણ મોટી બબાલ થઈ હતી. આજે ફરી એક વખત પતિની ગેરહાજરીમાં પ્રેમિકાને મળવા જતા પછી આવી જ ગયો હતો. પ્રેમીએ મોતની છલાંગ લગાવવાનો વખત આવ્યો હતો.
ષડયંત્ર કરી તેમની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ
આમ સાતમા માળેથી નીચે પટકાતા પ્રેમીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ઉમરગામ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતક પ્રેમી યુવકના મૃતદેહનેનો કબજો લઇ અને તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના મતે આ અકસ્માતે મોત છે. જોકે હવે આ મામલે મૃતકના પરિવારના આક્ષેપ છે કે તેની ષડયંત્ર કરી તેમની હત્યા કરવામાં આવી છે.
સાતમા માળેથી નીચે ફેંકી દઈ તેમની હત્યા કરાયાનો દાવો
ત્યારે આ મામલે માણેક બિલ્ડીંગની સામે નિર્માણ પામી રહેલ બિલ્ડીંગમાં કામ કરતી મહિલા મજૂરોના મતે મૃતકને સાતમા માળેથી ફેંકી દેવાયા હતા. આ મજુર આ બિલ્ડીંગમાં કામ કરતી હોય છે ત્યારે આ મજુર મહિલા જ્યારે સાતમા માળેથી કોઈને માર મારવાનો આવાજ સાંભળી ઉપરના માળે પહુંચી ત્યારે કોઈ ત્રણ-ચાર લોકો રાજુભાઈ(મૃતક)ને માર મારી રહ્યા હતા અને ત્યારબાદ તેમને સાતમા માળેથી નીચે ફેંકી દઈ તેમની હત્યા કરી દેવાઈ છે.
અનેક આડાસંબંધનો કરૂણ અંજામ આવ્યો
હાલ તો ઉમરગામ પોલીસ તપાસ કરી રહી છે. જે પણ સત્ય હશે તે બહાર આવશે. ત્યારે મહત્વપૂર્ણ છે કે સમાજમાં પતિ, પત્ની ઔર વો જેવા આડા સંબંધોની બદીનું પરિણામ ખૂબ જ ભયંકર આવે છે. અગાઉ પણ અત્યાર સુધી અનેક કિસ્સાઓ આડાસંબંધમાં કરૂણ અંજામ આવ્યો હોવાના દાખલા આપણી સામે છે. ત્યારે ઉમરગામની આ ઘટનામાં પણ આડા સંબંધમાં જ પ્રેમીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં બંને પરિવાર હાલે બરબાદ થઇ ગયા છે. ત્યારે ફરી એકવાર લગ્નેતર સંબંધ ઘાતકી સાબિત થયા છે. આ ઘટના અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.