CM Yogi Statement News: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું, જ્યારે હું ઘણા જિલ્લાના પ્રવાસ પર હતો ત્યાંરે ફરીથી ઘણા ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવેલા જોવા મળ્યા
UPમાં CMની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાને લઈ મહત્વની બેઠક
યોગી આદિત્યનાથે કહ્યું, મે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવેલા જોયા
બેઠકમાં તમામ લાઉડસ્પીકર તાત્કાલિક દૂર કરવા માટે કહેવામાં આવ્યું
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાને લઈ એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે તેઓ ઘણા જિલ્લાના પ્રવાસ પર હતા, ત્યારે તેમને ફરીથી ઘણા ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવેલા જોવા મળ્યા. જ્યારે અગાઉ ચલાવવામાં આવેલ ઝુંબેશમાં તમામ લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ જાહેર સુનાવણી સુનિશ્ચિત કરવી જોઈએ અને સામાન્ય લોકોની સમસ્યાઓ સમયબદ્ધ રીતે ઉકેલવી જોઈએ.
UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં યોગીએ કહ્યું કે, જનપ્રતિનિધિઓ સાથે સંવાદ, વિકાસના કામો યોગ્યતાના આધારે કરવા જોઈએ. વ્યસનમુક્તિ અંગે યોગીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ પેડલર્સ સામે કડક કાર્યવાહી અને અસરકારક ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કેપ્ટને બ્લોક, પોલીસ સ્ટેશન, તહેસીલ અધિકારીઓની કામગીરીની નિયમિત સમીક્ષા કરવી જોઈએ. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા મુખ્યાલયોને સેફ સિટી પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.
— Yogi Adityanath Office (@myogioffice) May 24, 2023
શું કહ્યું CM યોગીએ ?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ડીએમએ જિલ્લાના તમામ વિભાગોની સમીક્ષા કરવી જોઈએ અને કર્મચારીઓ અને બેદરકાર અધિકારીઓની જવાબદારી સામે કડક પગલાં લેવા જોઈએ. યોગીએ અધિકારીઓને જિલ્લાઓમાં ફિલ્ડ વિઝિટ, વિકાસ પરિયોજનાઓની જમીન પર સમીક્ષા કરવાનો આદેશ પણ આપ્યો હતો.
ઉનાળામાં અવિરત વીજ પુરવઠો અને પાણીને લઈ શું કહ્યું ?
આ સાથે યોગીએ કહ્યું કે, ઉનાળામાં અવિરત વીજ પુરવઠો જાળવવા માટે માનવીઓ તેમજ પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. પોલીસ સ્ટેશન કક્ષાએ ફૂટ પેટ્રોલિંગ સુનિશ્ચિત કરો, પોલીસ કેપ્ટને પોતે પણ નગરો અને બજારોમાં નિયમિતપણે ફૂટ પેટ્રોલિંગ કરવું જોઈએ. વિભાગીય કમિશનરોએ નિયમિતપણે જિલ્લાઓની સમીક્ષા કરવી જોઈએ, જિલ્લા પોલીસની રેન્જ અને ઝોન સ્તરે સમીક્ષા કરવી જોઈએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલી શહેરી સંસ્થાઓની ચૂંટણીઓ અને તહેવારો બાદ બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ વિભાગની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે સરકારી સ્તરના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા, રેન્જ, ઝોન અને વિભાગીય સ્તરે તૈનાત વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરીને જરૂરી માર્ગદર્શિકા આપી હતી.
યોગીએ કહ્યું કે, જનતા સાથે સીધો સંપર્ક ધરાવતા તમામ અધિકારીઓ જેમ કે ડિવિઝનલ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કેપ્ટન, DIOS, BSA, જિલ્લા પુરવઠા અધિકારીએ તેમની ઓફિસમાં સામાન્ય લોકોને મળવું જોઈએ, તેમની ફરિયાદો/સમસ્યાઓ સાંભળવી જોઈએ અને તેના આધારે તેનું યોગ્યતાનું સમાધાન કરવું જોઈએ.