વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગામમાં કમળ ખીલ્યું છે. બંને જગ્યાએ ગઈ વખતે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. આ વખતે બંને બેઠકો કબજે કરવા માટે RSS અને અમિત શાહે અલગ રણનીતિ બનાવી હતી.
PM મોદી અને અમિત શાહના ગામમાં કમળ ખીલ્યું
ગઈ વખતે કોંગ્રેસના ઉમેદવારનો થયો હતો વિજય
RSS અને અમિત શાહે બનાવી હતી અલગ રણનીતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગામ માણસામાં ફરી એકવાર કમળ ખીલ્યું છે. બંને જગ્યાએ ગત વખતે કોંગ્રેસે જીત મેળવી હતી, પરંતુ આ વખતે વડનગર અને માણસા માટે ભાજપે અલગ રણનીતિ બનાવી હતી. ઊંઝામાં ભાજપના ઉમેદવાર કે.કે પટેલ અને માણસામાં પાર્ટીના ઉમેદવાર જયંતિ પટેલનો વિજય થયો છે.
વડનગરમાં RSSના કાર્યકર્તાને અપાઈ હતી ટિકિટ
ઊંઝા વિધાનસભા હેઠળ આવતા વડનગરમાં આ વખતે ભાજપે કિરીટકુમાર કેશવલાલ પટેલ (કે.કે પટેલ)ને ટિકિટ આપી હતી. કિરીટ પટેલને RSSના વડા મોહન ભાગવતના નજીકના માનવામાં આવે છે. ભાજપના કાર્યકરોના જણાવ્યા મુજબ, કિરીટ પટેલનું નામ નક્કી થતાં પહેલા ટિકિટને લઈને અહીં જૂથવાદ હતો, જે નામો બહાર આવી રહ્યા હતા તેમાં એક-બીજાને લઈને મતભેદો હતા. કિરીટ પટેલનું નામ આવતાની સાથે જ જૂથબંધી બંધ થઈ ગઈ હતી. RSSના વડાની નજીક હોવાથી સંઘના સ્વયંસેવકોએ તેમનો પ્રચાર કરવામાં કોઈ કસર છોડી ન હતી.
2017માં થઈ હતી હાર
ઊંઝાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીં 1995થી સતત ભારતીય જનતા પાર્ટી જીતી રહી હતી, પરંતુ 2017માં કોંગ્રેસના ડો આશા પટેલે ભાજપના નારાયણભાઈ પટેલને હરાવી દીધા હતા. આની પાછળના બે કારણો સામે આવ્યા હતા. પ્રથમ, પાટીદારોનું આંદોલન અને બીજુ, ચાર વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા નારાયણભાઈ લલ્લુદાસ પટેલ સામેની એન્ટી ઈન્કમ્બન્સી. આ માટે આ વખતે RSSએ ઊંઝાની કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી અને ભાજપના ઉમેદવાર માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો.
50 વર્ષોથી કોંગ્રેસની વિરોધી પાર્ટી જ જીતી રહી છે
ઊંઝામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પટેલ બાબુલાલ નાથાલાલના જણાવ્યા મુજબ, છેલ્લા 50 વર્ષથી જે પાર્ટી કોંગ્રેસની વિરુદ્ધ હતી, તે પાર્ટીના ઉમેદવાર જ અહીંથી જીતી રહ્યા છે. પહેલા જનતા દળના ઉમેદવાર જીતતા હતા, પછી ભાજપના ઉમેદવાર જીતવા લાગ્યા. તેનું એક મોટું કારણ અહીં પાટીદારોની વસ્તી વધારે છે. તેઓ ક્યારેય કોંગ્રેસને મત આપતા નથી. બ્રાહ્મણ, જૈન, મોદી અને પ્રજાપતિ 20 વર્ષ પહેલા કોંગ્રેસના મતદારો હતા, પરંતુ હવે તેઓ ભાજપ તરફ છે.
માણસા માટે આ વખતે શાહે જ બનાવી હતી રણનીતિ
અમિત શાહના ગામ માણસામાં કોંગ્રેસ છેલ્લા બે વખતથી જીતી રહી હતી. તેથી જ આ વખતે અહીંની સમગ્ર ચૂંટણીની રણનીતિ ખુદ અમિત શાહની દેખરેખમાં તૈયાર કરવામાં આવી હતી. ભાજપે માણસામાં પોતાના ઉમેદવારનું નામ જાહેર કરવામાં પણ વિલંબ કર્યો હતો. અનેક જગ્યાએથી ફીડબેક લીધા પછી જયંતિ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસે મોહનસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા.
પાટીદારોના મત મેળવવામાં ભાજપ સફળ
માણસામાં સૌથી વધારે વસ્તી પાટીદાર સમાજની છે. તેમના લગભગ 45 હજાર મતો છે. જ્યારે ઠાકોરના 42 હજાર, રાજપૂતના 30 હજાર અને ચૌધરી સમાજના 23 હજાર છે. અહીં બ્રાહ્મણ અને જૈનની વસ્તી ઘણી ઓછી છે. ભાજપ લીડ દર્શાવે છે કે પાર્ટી આ વખતે પાટીદારોના મત મેળવવામાં સફળ રહી છે. અહીં દરેક પાર્ટી પાટીદાર અને ઠાકોરોના મતો એક બાજુ પડે તેવો પ્રયાસ કરે છે. આ બે સમુદાયો કોઈપણ ઉમેદવારને જીતાડી શકે છે.
ગત વખતે જીતી હતી કોંગ્રેસ
માણસા બેઠક પર આ વખતે 71.24 ટકા મતદાન થયું છે. ભાજપની લીડ દર્શાવે છે કે પાર્ટી આ વખતે પાટીદારોના મત મેળવવામાં સફળ રહી છે. અહીં દરેક પાર્ટી પાટીદાર અને ઠાકોરોના મતો એક બાજુ પડે તેવો પ્રયાસ કરે છે. આ બે સમુદાયો કોઈપણ ઉમેદવારને જીતાડી શકે છે. અહીં 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશકુમાર પટેલ અને ભાજપના ઉમેદવાર અમિત ચૌધરી વચ્ચે જંગ જામી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશકુમાર પટેલે ભાજપના ઉમેદવાર અમિત ચૌધરીને 524 મતથી હરાવ્યા હતાં.