કોંગ્રેસ માંથી પાટલી બદલી આવેલા ત્રણ નેતાઓને નવી સરકારમાં મંત્રીપદ. રાઘવજી પટેલ,બ્રિજેશ મેરજા, અને જીતું ચૌધરીને મંત્રી મંડળમાં સ્થાન
ધીરજના ફળ મીઠા તે આનું નામ
રાઘવજી પટેલ, જીતુ ચૌધરી, મેરજાને મંત્રીપદ
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓને મંત્રીપદ
. નવા સરદારની નવી અને કોરીકટ્ટ સરકારમાં ત્રણ પક્ષ પલટુ નેતાઓને સ્થાન મળ્યું છે.આમ તો 2012-2017માં કેટલાય નેતાઓ કોંગ્રેસમાંથી આવ્યા અને સીધું જ મંત્રી પદ પામી ગયા ગયા હતા.પરંતુ ધીરજના ફળ મીઠા એમ માનીને કોંગ્રેસને જાકારો આપી ભાજપમાં આવેલા ત્રણને જગ્યા મળી ગઈ છે. જેમાં રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા અને જીતું ચૌધરીનો સમાવેશ થાય છે
રાઘવજી પટેલ
રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય બેઠકથી ધારાસભ્ય છે. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે.2012માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતાં.સૌરાષ્ટ્રના લેઉઆ પાટીદાર સમાજમાં વર્ચસ્વ ધરાવતા રાઘવજી પટેલનું સહકારી સંસ્થાઓમાં મોટું પ્રભુત્વ છે. BA, LLB સુધીનો અભ્યાસ કરેલાં રાઘવજીભાઈએ 1975માં કોંગ્રેસના ધ્રોલ તાલુકાના પ્રમુખથી શરૂઆત કરી હતી..પક્ષપલ્ટા માટે રાઘવજી પટેલ અત્યાર સુધીમાં પાંચ વખત પક્ષપલટો કરી ચૂક્યા છે.
બ્રિજેશ મેરજા
એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય રહેલાં અને પક્ષપલટો કરી ભાજપમાં આવેલાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.બ્રિજેશ મેરજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે.મેરજા મોરબીથી ભાજપના ધારાસભ્ય છે. 2017માં કોંગ્રેસની ટિકિટ પર વિજેતા બન્યા હતાં ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતાં પેટાચૂંટણીમાં ભાજપે મેરજાને ટિકિટ આપી અને વિજેતા બન્યા હતાં.બ્રિજેશ મેરજા મોરબી અને તેની આસપાસના પાટીદાર સમાજમાં લોકપ્રિય છે.લેઉઆ પાટીદાર સમાજમાંથી આવતા બ્રિજેશ મેરજા શાંત સ્વભાવના અને કામ પ્રત્યે નિષ્ઠાવાન કહેવાય છે.
જીતુ ચૌધરી
તો જીતુ ચૌધરી કપરાડાથી ધારાસભ્ય છે.અને કોંગ્રેસની ટિકિટ પર કપરાડા વિધાનસભા પરથી ચાર વખત વિજેતા થયા છે. જીતુ ચૌધરીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1989માં શરૂ કરી હતી.1989 તેઓ કાકડકોપર ગામના સરપંચ બન્યા હતાં. વર્ષ 2000થી વર્ષ 2002 સુધી કપરાડા તાલુકા પંચાયતના અધ્યક્ષ રહ્યા હતાં.તેમણે રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા હતાં.2020માં ફરી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં.
કોંગ્રેસમાંથી આવેલાઓ હવે શું કરશે ?
એકબાજુ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી આવેલાં લોકોને મંત્રી બનાવાયા છે..તો બીજી બાજુ જેને ખાસ કોંગ્રેસમાંથી ભાજપમાં ખેંચી લવાયા હતાં...તેવા કેટલાંક નેતાઓને પણ ભાજપે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો નથી.કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયાને ખાસ નરેન્દ્ર મોદી અંગત રસ લઈને ભાજપમાં લાવ્યા હતાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ મળે તે માટે કુંવરજીભાઈએ પ્રધાનમંત્રી મોદીને પત્ર પણ લખ્યો હતો તો તેમના કાર્યકરોએ નારાજગી બતાવી હતી તેમ છતાં કુંવરજીભાઈનો ગજ વાગ્યો ન હતો.
કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા મોટા ભાગના ધારાસભ્યો જેમાં કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ધારાસભ્યોને મંત્રી પદ મળ્યુ નથી
સર્વસ્વ મુકી ભાજપમાં આવ્યા છતા અન્યાયની લાગણી પેદા થતાં મંત્રીઓને ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે.