1.20 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય સરકારે લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
મોદી સરકારે કર્યો મોટો નિર્ણય!
કર્મચારીઓના પગારમાં થશે વધારો
હવે માત્ર બાકી છે મંજૂરીની મહોર
ટૂંક સમયમાં કેબિનેટ લેવાશે નિર્ણય
સપ્ટેમ્બરમાં ડીએ અને ડીએ એરિયર મળશે
દેશને ચલાવતા 1 કરોડ 20 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે સમાચાર આવી શકે છે. આજે DA અને DR પર નિર્ણય લેવાનો હતો અને કેબિનેટની બેઠકમાં મંજૂરીની મહોર લાગવાની સંભાવના હતી પરંતુ મોદી સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણને કારણે બેઠક ટાળી દેવામાં આવી હતી પરંતુ હવે સપ્ટેમ્બરમાં ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે.
DA વધારાનો લેટર બહાર પડાયો હતો
જોકે કેન્દ્ર કર્મચારીઓ તથા પેન્શનર્સને ડીએ અને ડીઆરમાં વધારાના પૈસા જુલાઈના પગારમાં નહીં મળે. તેમણે સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે. નેશનલ કાઉન્સિલ પણ આ અંગે એક લેટર જારી કર્યો છે. આ લેટર જેસીએમ સચિવ શિવ ગોપાલ મિશ્રાની ઓફિસ વતી બહાર પડાયો છે.
DA બહાલી પરનો પ્રતિબંધ ઉઠાવાયો
આ લેટરમાં જણાવ્યા પ્રમાણે, કેબિનેટ સચિવની સાથે 26 જુન 2021 ના રોજ થયેલી બેઠક ઘણી સકારાત્મક રહી છે. બેઠક દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના હિતમાં ઘણા નિર્ણય લેવાયા છે.
મોંઘવારી ભથ્થા અંગે સૌથી મોટો નિર્ણય લેવાયો છે. ડીએ પરનો નિર્ણય છેલ્લા 18 મહિનાથી પેન્ડીંગ હતો. સરકાર જુલાઈથી ડીએ બહાલ કરશે, જોકે છેલ્લા ત્રણ હપ્તાઓની ચુકવણી જુલાઈમાં થવાની સંભાવના નથી. સચિવ મિશ્રાએ જણાવ્યું કે કેબિનેટ સચિવે કેન્દ્ર સરકારના પેન્શન ભોગીઓએ માટે ડીએ અને મોંઘવારી રાહત પર સસ્પેંશન હટાવવાની તૈયારી દર્શાવી છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ પહેલા 26 જૂને કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં નાણા મંત્રાલય અને નેશનલ કાઉન્સલિંગ ઓફ જોઈન્ટ કંસલ્ટેટિનવ મશીનરી અને અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી...જેમાં સપ્ટેમ્બરમાં DA આપવાની વાત કહેવામાં આવી હતી. હવે યોજાનારી કેબિનેટની બેઠકમાં DAને લઈ મંજૂરીની મહોર મારવામાં આવશે.
કેન્દ્રીય કર્મચારીઓને DAના ત્રણ હપ્તા મળવાના બાકી છે. કોરોના મહામારીને કારણે સરકારે DA ફ્રીઝ કરી રાખ્યું હતું. સાથે જ પૂર્વ કર્મચારીઓના DRની પણ ચૂકવણી નથી કરવામાં આવી કર્મચારીઓ અને પેંશનર્સનું એક જાન્યુઆરી 2020, એક જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021નું DA અને DR પેન્ડિંગ છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને સાતમા વેતન આયોગનો લાભ મળતા તેમના પગારમાં ઘણો વધારો થઈ જશે. ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ કર્મચારીની બેસિક સેલરી 20 હજાર રૂપિયા છે તો તેનું માસિક DA 28 ટકા સુધી વધી જશે. તેનો મતબલ છે કે DAમાં વધારો 11 ટકા થઈ જશે. આ જ રીતે કેન્દ્ર કર્મચારીઓ જેમને 7મા પગાર પંચમાં મેટ્રિક્સથી અળગ અલગ માસિક પગાર છે. તેઓ એ તપાસી શકે છે કે DA વધ્યા બાદ તેમનું વેતન કેટલું વધી જશે?