પગારદારીઓ લોકો ખૂબ જ લાંબા સમયથી ઇન્કમટેક્સ સ્લેબને 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની માંગ કરી રહેલ છે. સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાનાં અંતરિમ બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ ઇન્કમવાળા લોકોને માટે સેક્શન 87A અંતર્ગત પહેલા જ ફુલ ટેક્સ રિબેટની પરવાનગી આપી રાખી છે. પગારદારી લોકો હવે (કેન્દ્રીય બજેટ 2019થી) આ લાભ તેવાં લોકોને પણ આપવાની આશા કરી રહ્યાં છે કે જેમની આવક 5 લાખ રૂપિયાથી વધારે છે.
દર વર્ષની જેમ જ પગારદારીઓને નવ-નિયુક્ત નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા 5 જુલાઇ, 2019નાં રોજ રજૂ કરવામાં આવતા આગામી કેન્દ્રીય બજેટમાંથી ઘણી ખરી આશાઓ છે. જેમાં કોઇ શંકા નથી કે બજેટની અસર પ્રત્યેક નાગરિકનાં ફાઇનાન્શિયલ હેલ્થ પર પડે છે પરંતુ પગારદારીઓનો ખર્ચ સિમિત હોય છે જેથી તેમની આનાં સાથે કંઇક ખાસ પ્રકારની માંગ અને આશા છે. કેન્દ્રીય બજેટ 2019 (Budget 2019) થી પગારદારીઓ લોકોની મુખ્ય આશાઓ પર આપણે એક નજર નાખીએ.
ઇન્કમટેક્સ સ્લેબમાં પરિવર્તનઃ
પગારદારીઓ લોકો ખૂબ જ લાંબા સમયથી ઇન્કમટેક્સ સ્લેબને 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની માંગ કરી રહેલ છે. સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાનાં અંતરિમ બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ ઇન્કમવાળા લોકોને માટે સેક્શન 87A અંતર્ગત પહેલા જ ફુલ ટેક્સ રિબેટની પરવાનગી આપી રાખી છે. પગારદારી લોકો હવે (કેન્દ્રીય બજેટ 2019થી) આ લાભ તેવાં લોકોને પણ આપવાની આશા કરી રહ્યાં છે કે જેમની આવક 5 લાખ રૂપિયાથી વધારે છે.
PMVVYની વધારે રોકાણ સીમામાં વધારોઃ
આમ તો પગારદારીઓ લોકો જે રિટાયરમેન્ટની નજીક છે તેઓ સામાન્ય રીતે સુરક્ષિત રોકાણની તપાસમાં રહે છે કે જે તેઓને રિટાયરમેન્ટ બાદ વર્ષોમાં રેગ્યુલર ઇન્કમ અપાવી શકે. તેમની રોકાણ સંબંધી પ્રાથમિકતાને ધ્યાનમાં રાખતા, સરકારે પોતાનાં કેન્દ્રીય બજેટ 2018 સાથે સંબંધિત ભાષણમાં પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) શરૂ કરી હતી. આ પેન્શન યોજનાને અનુસાર, વરિષ્ઠ નાગરિક અધિકથી અધિક 10 વર્ષ માટે 15 લાખ રૂપિયા રોકાણ કરીને દર મહીને 1,000 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની પેન્શન મેળવી શકે છે. આ યોજનામાં રોકાણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2020 છે.
80C ડિડક્શન લિમિટમાં વધારોઃ
સેક્શન 80C અંતર્ગત ઉપલબ્ધ ઇન્કમ ટેક્સ ડિડક્શન, પગારદારી લોકોની ટેક્સ દેણદારીને ઓછી કરીને તેને ખૂબ રાહત આપે છે. પરંતુ 80C ડિડક્શન લિમિટને અંતિમ વાર ફાઇનાન્શિયલ વર્ષ 2014-15 બજેટમાં વધારવામાં આવ્યું હતું. તે સમયે આને 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કર્યા હતાં, ત્યારથી તે આટલું જ છે.
ઘર ખરીદનારાઓને માટે વધારે ફાઇનાન્શિયલ સપોર્ટઃ
ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ઘર ખરીદનારા તે લોકોને મોટી રાહત આપે છે કે જેની પાસે ડાઉન પેમેન્ટ કરવા માટે પર્યાપ્ત પૈસા નથી હોતા. પરંતુ LIG અને MIG શ્રેણીનાં ઘર ખરીદનારાઓને માટે એક વરદાનરૂપી માનવામાં આવતી આ સ્કીમનો લાભ ઉઠાવવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2020 છે.
ભથ્થાઓની સીમામાં વૃદ્ધિઃ
પગારદારીઓ લોકોને માટે ટેક્સ ભથ્થા એક લાઇફલાઇનની જેમ જ હોય છે, જે તેને ટેક્સ બેનિફિટ આપવાની સાથે સાથે પોતાનાં ખર્ચ સાથે જોડાયેલી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે. પોતાનાં વેતનને રિસ્ટ્રક્ચર કરીને અને વિશેષ ભથ્થાઓનો લાભ ઉઠાવીને એક વ્યક્તિ પોતાની ટેક્સ દેણદારીને વધારે હદ સુધી ઓછી કરી શકે છે.
મહિલાઓને માટે વધારે ટેક્સ રાહતઃ
આ સિવાય, જો કે નિર્મલા સીતારમણ ભારતની પહેલી પૂર્ણકાલિક મહિલા નાણાંમંત્રી છે, જેથી પગારદારીઓ મહિલાઓની આશા વધારે હશે, જ્યારે તે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.