વાયુ સેનાના પ્રમુખ આરકેએસ ભદોરિયાએ જણાવ્યું કે 'મેક ઇન ઇન્ડિયા' પર વાતો ઘણી થઇ રહી છે પર કામ ધીરે-ધીરે થઇ રહ્યું છે. વાયુસેનાના પ્રમુખને સ્વદેશી હથિયારોને લઇને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે અમે તેમાં પોતાનું સમર્થન આપ્યું છે, પરંતુ દરેક લોકોએ આ દિશામાં આગળ વધવું પડશે પછી તે સરકારી હોય કે ખાનગી ક્ષેત્ર.
વાયુ સેના પ્રમુખ આરકેએસ ભદોરિયાએ આપ્યું નિવેદન
'મેક ઇન ઇન્ડિયા' પર વાતો ઘણી થઇ રહી છે
ડીઆરડીઓ એ સમયમર્યાદા નક્કી કરવી પડશે
વાયુસેનાના પ્રમુખે જણાવ્યું કે ડીઆરડીઓ એ સમયમર્યાદા નક્કી કરવી પડશે. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમો (PSU) ને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવું જોઇએ. અત્યારે 'મેક ઇન ઇન્ડિયા' અને સ્વદેશીકરણ (કાર્યક્રમ)માં વાતો ઘણી થઇ રહી છે. આપણા ઇચ્છાઓ સારી છે પરંતુ વ્યાવહારિક રીતે કામ ઘણું ધીમી ગતિથી ચાલી રહ્યું છે. જો દરેક લોકો આ દિશામાં કામ કરશે તો આપણે ચોક્કસ સફળ થઇશું.
એક પણ લક્ષ્ય પાર નથી કરી શકી પાકિસ્તાની સેના
વાયુસેના ચીફ માર્શલે જણાવ્યું કે પાકિસ્તાની વાયુસેના અને ભારતીય વાયુસેનામાં સમાનતાને લઇને કોઇ સવાલ જ નથી કારણ કે પાકિસ્તાની વાયુસેના બાલાકોટ અભિયાન પછી એક પણ લક્ષ્યને નિશાન નથી બનાવી શકી.
રાફેલ આવશે તો દુશ્મન ઘણુ વિચારશે
વાયુસેનાના પ્રુમખને પૂછવામાં આવ્યું કે જ્યારે જો ભારતીય વાયુસેનામાં રાફેલ હોત તો બાલાકોટ હવાઇહુમલા પર પાકિસ્તાનની પ્રતિક્રિયા અલગ હોત, જેના જવાબમાં ભદોરિયાએ કહ્યું કે પ્રતિક્રિયા તેમના હાથમાં છે,પરંતુ હુમલાનું પરિણામ ચોક્કસ અલગ હોત. એકવાર રાફેલ વાયુસેનામાં જોડાવાનું શરૂ થશે તો દુશ્મન વિચારશે નહીં પણ ઘણું વિચારશે.