તેમણે આર્થિક મંદીમાં નોકરી ગુમાવી હતી, એક સમયે તે સાવ જ બેરોજગાર બની ગયા હતા, જો કે આજે તે 5000 કરોડનું સામ્રાજ્ય ધરાવે છે, આવો જાણીએ સંજય શાહ વિશે, તે ભારતીય જેણે કરોડો રૂપિયા કમાવ્યા, જો કે આજે યુરોપના ઘણા દેશોમાં તેમની વિરુદ્ધ કેસો ચાલી રહ્યા છે.
સંજય શાહ ધરાવે છે 5000 કરોડની સંપત્તિ
યુરોપના ઘણા દેશોમાં તેમની વિરુદ્ધ ચાલી રહ્યાં છે કેસો
આર્થિક મંદીમાં ગુમાવી દીધી હતી નોકરી
આજની તારીખે સંજય શાહ પાસે 700 મિલિયન ડોલરની સંપત્તિ છે, જે લગભગ 5000 કરોડ જેટલી થવા જાય છે. જો કે તેમની પાસે 60 ફૂટની ભવ્ય યાટ પણ છે.
સંજય શાહ જેમણે મંદીથી આગળ વધી કરોડોની કમાણી કરી
રોકાણકારો વર્ષોથી શેર બજારમાં રોકાણ કરતા હોય છે. જો કે ત્યાં એક જોખમ પણ છે, પરંતુ ઘણા રોકાણકારોએ અહીં તેમનું પોતાનું નસીબ પણ ચમકાવી નાખ્યું છે. સંજય શાહ પણ આવું જ એક નામ છે જેણે એક દાયકા અગાઉ 2008-2009 ની આર્થિક મંદીમાં નોકરી ગુમાવી દીધી હતી. તે સમયે તે એક મિડલેવલ બ્રોકર હતા. પરંતુ શાહ તરત ધંધામાં પરત ફર તેમણે એક ફંડ બનાવ્યું જે ડિવિડન્ડ ટેક્સથી સંબંધિત કાયદાને સંબોધિત કરી રહ્યું હતું.
થોડા વર્ષોમાં, તેણે ટ્રેડિંગની એક્ટિવિટીથી 70 કરોડ ડોલરની સંપત્તિ ઊભી કરી. આજે તેની સંપત્તિ લંડનથી દુબઇ સુધીમાં ફેલાયેલી છે. સંજય શાહ હવે જેનિફર લોપેઝથી લઈને એલ્ટન જોન સુધીના લોકોને ઓટીઝમ પીડિત છોકરાઓ માટેના ચેરીટી કાર્યક્રમમાં બોલાવે છે.
આજે 5000 કરોડની સંપત્તિ ધરાવે છે
નોંધનીય છે કે આજે સંજય શાહ ૭૦૦ મિલિયન ડોલરના માલિક છે. હાલમાં તેની પાસે 60 ફૂટની ભવ્ય યાટ છે. આ સિવાય તેની પાસે લંડનથી દુબઈ સુધીની સંપત્તિ છે.
સંજય શાહ જો કે ઘણા વિવાદોથી ઘેરાયેલા છે
જોકે સંજય શાહ વિવાદોથી ઘેરાયેલા છે, જેના કારણે યુરોપના ઘણા દેશોમાં તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આથી, એવી અટકળો કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં તેની ધરપકડ કરવામાં આવી શકે છે. ખરેખર સંજય શાહ એ કેટલાક દેશોમાં કાનૂની છીંડાઓનો ઉપયોગ કર્યો અને પૈસા કમાવ્યા. સંજય શાહ એ ઘણી વખત સિંગલ સ્ટોક પર ડિવિડન્ડ ટેક્સ રિફંડનો લાભ લીધો હતો.
ડેન્માર્કની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી
ડેનિશ વહીવટીતંત્રે તેમની લગભગ 3.5 અબજ ડેનિશ ક્રોનરની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. તેમાં લંડન માં આવેલા 200 કરોડ ડોલરના મકાનનો સમાવેશ પણ છે. ડેનિશ સરકારે આરોપ લગાવ્યો છે કે તેમની કંપની સોલો કેપિટલ પાર્ટનર્સ એલએલપી એ શેર વેચ્યા પછી પણ રોકાણકારોને ડિવિડન્ડ ટેક્સ પર પરત મેળવવામાં મદદ કરી છે.
સંજય શાહ એ કહ્યું, "કાયદાકીય રૂપે કમાયો છું"
તેમના ઉપર લાગેલા આક્ષેપો અંગે તેઓ કહે છે કે બેન્કર્સ અને હેજ ફંડ મેનેજરો પાસે કોઈ નૈતિકતા નથી. મારી કમાણી કાયદેસર રીતે માન્ય છે. મેં કંઈપણ ખોટું કર્યું નથી.