બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાતમાં અહીં આવેલું છે શિવનું અનોખું મંદિર, વટવૃક્ષના રૂપમાં મહાદેવની થાય છે પૂજા

ધર્મ / ગુજરાતમાં અહીં આવેલું છે શિવનું અનોખું મંદિર, વટવૃક્ષના રૂપમાં મહાદેવની થાય છે પૂજા

Last Updated: 07:43 AM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં પૂજાનું એક અનોખુ મહત્ત્વ છે. આપણે દરેક પ્રસંગે માત્ર દેવી-દેવતાઓને જ નહીં પરંતુ અમુક તહેવારોએ વૃક્ષોની પૂજા પણ કરતાં હોઈએ છીએ. ત્યારે આજે વાત એક એવા શિવ મંદિરની જય તેમની પૂજા વૃક્ષ સ્વરૂપે થાય છે.

ગુજરાતના ગાંધીનગરના અડાલજ પાસેના શેરથા ગામમાં એક એવો આશ્રમ છે જ્યાં કોઈ પણ દેવી-દેવતાની કે શિવલિંગની કે મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી. આ વડાવાળા મહાદેવ આશ્રમમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને ભગવાન શિવની વટવૃક્ષના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

વિશ્વનું પ્રથમ મદિર

વડવાળા મહાદેવ આશ્રમના અધિકારીએ જણાવ્યું હતું કે વિશ્વનું આ પહેલું એવું મંદિર છે, જ્યાં વટવૃક્ષના રૂપમાં ભગવાન ભોલેનાથની સ્થાપના કરવામાં આવી છે. આ મહાદેવની સ્થાપના 2023 ના પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત સાચા મનથી પૂજા કરે છે, ભગવાન ભોલેનાથ તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મહાદેવના દર્શન કરવાથી શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મળે છે.

મહામૃત્યુંજય જાપ

આ આશ્રમમાં મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે છે. ભગવાન શિવનો આ મંત્ર આધ્યાત્મિક સાધના કરતાં વધુ ફાયદાકારક છે. તેને રુદ્ર મંત્ર અથવા ત્ર્યંબકમ મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રનું વર્ણન ઋગ્વેદ અને યજુર્વેદ જેવા પવિત્ર ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. તે માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ અત્યંત ઉપયોગી છે. યોગ-પ્રાણાયામ અને ધ્યાન પણ અહીં કરવામાં આવે છે.

વડના વૃક્ષનું મહત્વ

વડના વૃક્ષ અક્ષય વૃક્ષ તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે તેને રોપવાથી વ્યક્તિને 1000 અશ્વમેધ યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. શાસ્ત્રો અનુસાર વટવૃક્ષની નીચે બેસીને પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોવાનું માનવામાં આવે છે. ભગવાન બુદ્ધને પણ વટવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 50,000 થી વધુ વડના વૃક્ષો વાવવામાં આવ્યા છે.

વધુ વાંચો: રૂપિયા કમાવવાનો રૂડો અવસર, આજે આ જન્મ તારીખવાળા લોકોને થશે લાભ જ લાભ

10 કરોડ વડ વાવવાનો સંકલ્પ

વડ વૃક્ષ સતત ઑક્સીજન પૂરું પાડે છે, તેના લાંબા અને જાડા મૂળિયાં ભૂકંપના ઝટકાને પણ સહન કરી લે છે. અને ખેડૂતોના પાકને નુકસાન કરતાં કિટકો સામે પણ રક્ષણ આપે છે. આથી આ સંસ્થાએ ભારતના તમામ નાના-મોટા તળાવો અને નદી કિનારા પર 10 કરોડ વડના વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે, જેથી માનવ જીવન અને પર્યાવરણને સુધારી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shiva Temple Banyan Tree Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ