શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે, શિવ એવા પરમાત્મા છે જે ભક્તના દરકે દુખો માત્ર એક જળનો લોટો ચડાવવાથી જ દૂર કરે છે.
શિવલિંગ પર જળાભિષેક કરવાથી વ્યકિતની દરેક મનોકામના પૂરી થાય છે. રુદ્રાભિષેક કરવાથી વ્યકિતની કુંડળીમાં પાતક અને મહાપાતક કર્મ પણ ભસ્મ થઇ જાય છે. વિવિધ ઇચ્છાઓ પૂરી કરવા માટે રુદ્રાભિષેક સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
- સોમવારે પ્રદોષ સમયે અથવા શિવરાત્રિ વગેરે સમયે મંત્ર, દૂધ, દહીં વગેરેથી અભિષેક કરવામાં આવે છે. શિવજીની પૂજામાં દૂધ, દહીં, મધ, ધી અને ખાંડથી બનાવાયેલા પંચામૃતનો પણ અભિષેક કરવામાં આવે છે.
- રૂદ્રાભિષેકથી કાલસર્પ યોગ, ગૃહકલેશ, વ્યાપારમાં નુકસાન, શિક્ષણમાં અસફળતા વગેરે જેવી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. પુરાણો અનુસાર, જે મનુષ્ય શુક્લયર્જુવેદી રુદ્રાષ્ટાધ્યાયીથી અભિષેક કરે છે તેને તરત જ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યકિત કામનાપૂર્તિ માટે અભિષેક કરે છે. તે જ પ્રકારની સાધનસામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ.
- શિવ પુરાણ મુજબ, જે ઇચ્છા પૂરી કરવા તમે રુદ્રાભિષેક કરાવી રહ્યા છે તે માટે કઇ સાધનસામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ તે પણ જણાવવામાં આવ્યુ છે. જો આ રીતે તમે રુદ્રાભિષેક કરાવશો તો તમને પૂર્ણ રીતે લાભ મળશે.
- દહીથી અભિષેક કરો તો મકાન તથા વાહન પ્રાપ્તિ, શેરડીથી અભિષેક કરવાથી લક્ષ્મીની અઢળક પ્રાપ્તિ, મધ-પાણી યુક્ત અભિષેકથી ધનમાં વધારો થશે, દૂધથી અભિષેક કરવાથી પુત્ર પ્રાપ્તિ અને મનોકામના પૂર્ણ થાય છે. ઘીનો અભિષેક કરવાથી વંશવેલો વિસ્તરે છે. શુદ્ધ મધથી રુદ્રાભિષેક કરવાથી પાપનો નાશ થાય છે.
- તીર્થ જળથી અભિષેક કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત અત્તરની સુગંધ યુક્ત પાણીથી અભિષેક કરવાથી દરેક બિમારીથી રાહત મળે છે. ગંગાજળથી અભિષેક કરવા પર બિમારી ઠીક થાય છે. તો દૂધ અને ખાંડ મિશ્રિત અભિષેક કરવાથી સદબુદ્ઘિ આવે છે. સરસરવા તેલથી અભિષેક કરવાથી રોગ અને શત્રુનો નાશ થાય છે.