ધરતી પર દુષ્ટતાનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન અવતાર લે છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે પણ ઘણા અવતાર લીધા છે. શાસ્ત્રોમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના કળયુગના અવતારોનું પણ વર્ણન છે.
આજે પણ જીવતા છે ભગવાન શિવના આ બે અવતાર
જેમાંથી ભગવાન ભોળાનાથની થાય છે પૂજા
અશ્વત્થામા આજે પણ ઘટાદાર જંગલમાં ભટકી રહ્યાં છે
એક અવતારની થાય છે પૂજા અને બીજાને મળ્યો છે શ્રાપ
ભગવાન વિષ્ણુ કળયુગમાં કલ્કિ રૂપે જન્મ લેશે. જ્યારે ભોળાનાથના બે અવતાર આજે પણ પૃથ્વી પર હયાત છે. ભગવાન શિવના બે અતાર છે, ભગવાન હનુમાન અને મહાભારત કાળના યોદ્ધા અશ્વત્થામા. જેમાંથી ભગવાન હનુમાનની પૂજા થાય છે જ્યારે અશ્વત્થામા અંગે કહેવામાં આવે છે કે આજે પણ તેઓ ઘણા ઘટાદાર જંગલમાં ભટકી રહ્યાં છે. હનુમાને વાનરરાજ કેસરીની પત્ની અંજનીના કૂખેથી જન્મ લીધો હતો. જ્યારે અશ્વત્થામાનો જન્મ ગુરૂ દ્રોણાચાર્યના ઘરે થયો. જેના માટે દ્રોણાચાર્યે ઘોર તપસ્યા કરી શિવજી પાસેથી વરદાન માંગ્યુ હતુ કે તેઓ તેના પુત્ર તરીકે જન્મ લે ત્યારે સવન્તિક રૂદ્રના અંશમાંથી અશ્વત્થામાનો જન્મ થયો.
અશ્વત્થામાને મળ્યો હતો શ્રાપ
જ્યારે પવનપુત્ર હનુમાન માતા સીતાને શોધવા માટે આખો સમુદ્ર પાર કરી લંકા પહોંચ્યા તો સીતા માતાએ તેમને અમર થવાના આશીર્વાદ આપ્યા હતા. જેના માટે કહેવામાં આવે છે કે હનુમાનજી આજે પણ જીવતા છે અને તેના ભક્તોની સંખ્યા અસંખ્ય છે. તો મહાભારત યુદ્ધના સમયે જ્યારે કૌરવોનો પરાજય થયો તો અશ્વત્થામાએ રાત્રે ઉંઘતી સમયે પાંડવોના પાંચેય પુત્રોની હત્યા કરી દીધી હતી. આ સાથે ઉત્તરાના ગર્ભને નષ્ટ કરવા માટે બહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. જેનાથી નારાજ થઇને ભગવાન શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો કે તમે જીવતા રહેશો ત્યાં સુધી પૃથ્વી પર ભટકતા રહેશો.