ભગવાન શંકરના ઘણા મંદિરો છે. જેમાં બાર જ્યોતર્લિંગોમાંથી એક પવિત્ર કેદારનાથ શિવલિંગ ઝારખંડના દેવધરમાં આવેલુ છે. આ જગ્યાને લોકો બાબા બૈજનાથ ધામના નામથી ઓળખે છે.
માનવામાં આવે છે કે ભોળાનાથ અહીં આવનાર તમામ શ્રધ્ધાળુઓની મનોકામના પૂરી કરે છે. એટલા માટે આ શિવલિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.12 જ્યોતર્લિંગો માટે કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં મહાદેવ સાક્ષાત પ્રગટ થયા હતા ત્યાં તે સ્થાપિત છે.
પુરાણોમાં વૈદનાથ જ્યોતિર્લિંગની પણ કથા છે. જે લંકાપતિ રાવણ સાથે જોડાયેલી છે. વૈદ્યનાથ અથવા બાબ બૈજનાથ ધામ ઝારખંડમા દેવઘરમાં છે. પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણ ભગવાન શંકરને ખુશ કરવા માટે હિમાલય પર તપસ્યા કરી રહ્યા હતા.
તેઓ પોતાનું એક માથું કાપીને શિવલિંગ પર અર્પિત કરી રહ્યા હતા જ્યારે રાવણ 10મું માથું કાપવાનો હતો ત્યારે ભોળાનાથ પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા હતા અને ઈચ્છા પ્રમાણે વરદાન માંગવાનુ કહ્યુ હતુ. રાવણે કહ્યુ કે ભગવાન શિવ કૈલાશ પર્વત છોડીને તેમની સાથે લંકા આવે.
ભોળાનાથે હા પણ પાડી પરંતુ એક શરત રાખી હતી. તેમણે રાવણને કહ્યું કે તારે શિવલિંગના રૂપમાં મને ત્યાં લઈ જવો પડશે અને જો શિવલિંગને રસ્તા પર ક્યાં મૂકીશ તો હું ત્યાં જ રહી જઈશ. અને પછી ત્યાંથી હું ક્યાં નહીં આવું. ત્યારબાદ રાવણ ભગવાન શંકરને લઇ ગયો હતો.