પ્રયાગરાજમાં આવેલુ આ વૃક્ષ 300 વર્ષ જૂનુ છે. કહેવામાં આવે છે કે અકબરે આ વૃક્ષને મૂળથી સાથે સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.
વૃક્ષની નીચે ભગવાન શ્રીરામ અને માતા સીતાએ વનગમન દરમિયાન ત્રણ રાત સુધી વિશ્રામ કર્યો હતો
ક્ષણભર માટે સંસાર થયુ હતુ જળમગ્ન
કામકૂપ તળાવમાં સ્નાન કરવાથી મળે છે મોક્ષ
પ્રયાગરાજ ખાતે અકબરના કિલ્લાની અંદર અક્ષયવટ નામનું એક વિશાળ વૃક્ષ છે. જ્યાં ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘણા વર્ષોથી પૂજા કરવામાં આવી રહી છે. ખાસ વાત તો એ છે કે આ વૃક્ષ 300થી વધારે જૂનુ છે. કહેવામાં આવે છે કે, અકબરએ આ વૃક્ષને સમાપ્ત કરવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. પોતાના માણસો પાસે ઘણી વખત તેને કપાવાનો પ્રયત્ન કર્યો. આ વૃક્ષને જ્યારે કાપવામાં સફળતા ના મળી ત્યારે તેને બાળવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ ઇશ્વરી શક્તિનું એવુ સ્વરુપ છે આ વૃક્ષ જે તે સ્થાન પર ટકીને ઉછરતુ રહ્યું.
પ્રયાગરાજના એક પૂજારીનું કહેવુ છે કે, આ વૃક્ષની નીચે ભગવાન શ્રીરામ અને માતા સીતાએ વનગમન દરમિયાન ત્રણ રાત સુધી વિશ્રામ કર્યો હતો. આ કિલ્લાની અંદર સ્થિત પાતાલપુરી મંદિરમાં અક્ષયવટ સિવાય 43 દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
જ્યારે આખી દુનિયા થઇ જળમગ્ન
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે એક ઋષિએ ભગવાન નારાયણથી ઇશ્વરી શક્તિને બતાવવા માટે કહ્યું ત્યારે તેઓએ ક્ષણભર માટે સંસારને જળમગ્ન કરી દીધું. ત્યાર બાદ આ પાણીને ગાયબ પણ કરી દીધુ હતુ. આ દરમિયાન જ્યારે દરેક વસ્તુ પાણીમાં સમાઇ ગઇ ત્યારે ફક્ત અક્ષયવટ (અક્ષયવડ) ઉપરના ભાગે દેખાઇ રહ્યું હતું.
આ છે ધાર્મિક માન્યતા
પ્રયાગરાજના પૂજારીના જણાવ્યા મુજબ, અક્ષયવટ વૃક્ષની પાસે કામકૂપ નામનું એક તળાવ છે જે આ તળાવમાં સ્નાન કરે છે તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેને પ્રાપ્ત કરવા માટે અનેક રાજ્યોથી લોકો આવે છે અને વૃક્ષ પર ચઢીને તળાવમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કરે છે. એક ચીની યાત્રીએ ભારત પ્રવાસ દરમિયાન પોતાની લખેલી પુસ્તકમાં આ તળાવ વિશે ઉલ્લેખ કર્યો છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.