અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથને રજવાડી વાઘા પહરાવવામાં આવશે. 17 વર્ષોથી અલગ - અલગ પ્રકારે વેશ તૈયાર કરવામાં આવે છે. ગયા વર્ષે રથયાત્રામાં ભગવાનને રાજાશાહી વેશ પહેરાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષો બાદ ભગવાનને લાલ કલરનો વેશ ધારણ થશે. અમાસ, એકમ, બીજ, ત્રીજના દિવસે ભગવાન માટે અલગ - અલગ વેશ પહોરાવવામાં આવશે. વેશ બનાવનાર સુનિલભાઈ અને તેમના પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.