ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી પરંપરાગત જળયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે.
108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી નાથને જળાભિષેક
જગન્નાથજી ની પ્રતિમાની શોડષોપચાર પૂજન વિધિ
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીના ગજવેશમાં દર્શન
કોરોના માહારીના બે વર્ષ બાદ ચાલુ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અષાઢી બીજનાં રોજ યોજાતી રથયાત્રા પહેલાની જળયાત્રા મહત્વની છે. ત્યારે આજે ભગવાનની જગન્નાથની જળયાત્રા નીકળશે.જળયાત્રાની પરંપરા મુજબ સાબરમતી નદીના ભુદરના આરે ગંગાપૂજન થશે.
ભગવાનની જળયાત્રાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ભગવાન જગન્નાથની જળયાત્રા આજે નીજ મંદિરથી નીકળશે.જેમાં સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન થશે. બાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે. ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે.મહત્વનું છે કે, ભગવાન જગન્નાથની જળયાત્રા ભાગરૂપે બળદગાડા, હાથી અને બેન્ડવાજા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
બે વર્ષ બાદ રથયાત્રાનું રંગેચંગે આયોજન
કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાના પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યજાશે.
જળયાત્રામાં આ દિગ્ગજો રહેશે ઉપસ્થિત
આ જળયાત્રામાં મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો , મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહેશે.