આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા નેતાઓના નિવેદનોએ રાજ્યનો રાજકીય પારો વધારવાનું શરૂ કરી દીધું છે. કર્ણાટક બાદ બજરંગબલી પણ મધ્ય પ્રદેશમાં પ્રવેશી ગયા છે. કરોડોના આરાધ્ય દેવ બજરંગ બલીની જાતિનો મુદ્દો ફરી ઉઠ્યો છે. આ વખતે કોંગ્રેસ નેતાએ હનુમાનની જાતિ ગણાવી છે.
#WATCH भगवान राम को लंका तक पहुंचाने वाले आदिवासी थे... मैं तो कहता हूं कि हनुमान भी आदिवासी थे। गर्व से कहो कि हम आदिवासी हैं: कांग्रेस विधायक और म.प्र.सरकार के पूर्व मंत्री उमंग सिंघार, धार (09.06) pic.twitter.com/5CFRZPNYtw
ઉમંગ સિંગારે શું કહ્યું
કોંગ્રેસના ધારાસભ્ય અને કમલનાથ સરકારમાં મંત્રી રહેલા ઉમંગ સિંગારે હનુમાનજીને લઇને મોટું નિવેદન આપ્યું છે. સિંગારે કહ્યું કે તે આદિવાસીઓ જ હતા જે ભગવાન રામને લંકા લાવ્યા હતા. હું કહું છું કે હનુમાન પણ આદિવાસી હતા. ગર્વથી કહો કે અમે આદિવાસી છીએ.
વાનર સેના નહીં આદિવાસીઓ ભગવાન રામને લંકા ગઈ ગયા
જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ધાર જિલ્લાના બાગમાં ગાંધવાણીના ધારાસભ્ય ઉમંગ સિંગારે એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વાનર સેના ભગવાન શ્રી રામને લંકા લઇ ગઇ ન હતી, પરંતુ આદિવાસીઓ ભગવાન શ્રી રામને લંકા લઇ ગયા હતા. સાથે જ હનુમાનજી આદિવાસી છે. કથાકારોએ મૂંઝવણભર્યું કામ કર્યું છે. સિંગારે કહ્યું કે અત્યારે બજરંગ બલી કર્ણાટકની ચૂંટણી જીતી ગયા છે અને તેઓ (ભાજપ) હારી ગયા છે. જ્યારે હું સરકાર સામે લડું છું ત્યારે તેઓ કહે છે કે આદિવાસીઓ છે, તેને બંધ કરો. જો તમે મને જેલમાં ન મૂકી શકો, તો કેસ દાખલ કરવામાં આવે છે. હું આદિવાસીઓ માટે લડતો રહીશ.
2019માં ઉઠ્યો હતો હનુમાનની જાતિનો મુદ્દો
ઉલ્લેખનીય છે કે 2019ની સાલમાં પણ હનમાનની જાતિનો મુદ્દો સામે આવ્યો હતો જેમાં ઘણા નેતાઓ અને ધર્મગુરુઓએ તેમની જાતિને લઈને અલગ અલગ મંતવ્યો રજૂ કર્યાં હતા. કોઈએ હનુમાનને જૈન તો કોઈએ દલિત ગણાવી દીધા હતા અને હવે હનુમાનજી આદિવાસી બન્યાં છે.