રાજસ્થાનના અલવરના ભાજપ ધારાસભ્ય જ્ઞાનદેવા આહુજાએ ગજબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભગવાન હનુમાન દુનિયાના પહેલા આદિવાસી હતા.આહુજાને વિશ્વાસ છે કે આદિવાસીઓમાં હનુમાન પૂજનીય છે.કારણ કે તેમને આદિવાસીઓને એકત્રિત કરવા સેના બનાવી હતી જેને ભગવાન રામે જાતે ટ્રેનિંગ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યએ કહ્યું કે 2 એપ્રિલના રોજ દલિત સંગઠનો દ્વારા ભારત બંધ આંદોલન દરમિયાન હનુમાનના ચિત્રને અપમાનિત કરતો વીડિયો બનાવ્યો હતો તે ખરેખર દુઃખદ હતું.પક્ષના કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા અહુજાએ કહ્યું કે તેઓ ભાજપના સાંસદ કિરોડિલાલ મીણાને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ કે તમે પોતાની જાતને આદિવાસી કહો છો..અને હનુમાનજીનો આદર કરતા નથી.
ભાજપના ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું આદિવાસીઓમાં હનુમાનજીને પ્રથમ ભગવાન ગણવામાં આવે છે.મને ખબર નથી કે હનુમાનજીના ચિત્રનું શા માટે અપમાન કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે ભાજપના ધારાસભ્ય આ પહેલા પણ આ રીતના નિવેદન કરી ચૂક્યા છે.