આજે ગણપતિ બાપ્પાની પ્રિય તિથિમાંથી એક તિથિ છે એટલે કે સિદ્ધિ વિનાયક શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત છે. આજના દિવસે ગણેશજીનું વ્રત અને પૂજા કરવાથી ધન વધે છે અને સ્વાસ્થ્ય સારૂ રહે છે. આ વખતે શુક્રવારે આ તિથિ હોવાથી શુક્ર ગ્રહ માટે વિવિધ ઉપાય કરવામાં આવે છે.
આ ઉપરાંત આજના દિવશે ઉપવાસ કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. તમામ સંકટોમાંથી છૂટકારો મળે છે. સવારે વિધિસર ભગવાન ગણેશજીની પૂજા કર્યા બાદ 21 લાડવાનો ભોગ ધરાવો અને તેને ગરીબોમાં વહેંચી દેવા. જેથી ભગવાનની દયાથી બધી રીતે સુખ- શાન્તિ રહે છે.
આ ઉપરાંત કેટલીક વાતોનુ ધ્યાન પણ રાખવુ જેમ કે રાતે ચંદ્રમાં તરફ ન જોવું. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે એકદંતાયની મૂર્તિની આગળ ઘીનો દીવો કરીને 'ऊँ ह्रीं ग्रीं हीं' મંત્રનો જાપ દરરોજ 11 વખત કરવો તેનાથી વ્યક્તિની તમામ બીમારી દૂર થઈ જશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. આ ઉપરાંત ગણપતિની આરાધના કરવાથી લક્ષ્મીનો ઘરમાં વધારો થાય છે.