તમામ વિઘ્નોનો નાશ કરનાર ભગવાન શ્રી ગણેશજી (Shri Ganesha) પોતાની શરણમાં આવનાર તમામ ભક્તોના સંકટો હરી લે છે. જો તમારા વ્યાપારમાં નુકશાન થઇ રહ્યું છે, તમામ દિશાઓથી સંકટ નજરે પડી રહ્યું છે. નોકરીમાં પ્રગતિ નથી થઇ રહી તો બુધવારના દિવસે અહીં આપેલ ઉપાયો માંથી એક ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી કરનારની ભગવાન શ્રી ગણેશ તમામ વિઘ્નો દૂર કરી નાંખે છે.
સંકટોનું નિવારણ
બુધવારના દિવસે ગણેશજીને સિંદૂરના ચોલા ચઢાવો. એ બાદ લાલ ચંદનની માલાથી અહીં આપેલ ગણેશ મંત્રનો 1100 મંત્રોનો જાપ કરવો.
મંત્ર- || ૐ ગણપતયે વરવરદ સર્વજનં મેં વશમાનય સ્વાહા ||
આ પ્રયોગને સતત 5 બુધવાર સુધી કરવાથી તમામ સમસ્યાઓ પછી તે આર્થિક હોય, સામાજિક, દુર્ભાગ્ય હોય અથવા અન્ય કોઇ પણ પ્રકારની સમસ્યાઓ હોય શ્રી ગણેશ જી તમામ મુશ્કેલીઓ ઠીક કરી દેશે.
વ્યાપારમાં લાભ
જો વેપારમાં ખોટ થઇ રહી હોય અથવા પાછળ રહી ગયા છો તો બુધવારના દિવસે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે થોડો કાથો લઇ આવો. ઘરે તેનો થોડો ચૂરો બનાવી તેમા થોડું ગાયનું ઘી, સિંદૂર અને મધ મેળવી ગણેશજીની પ્રતિમા બનાવો અને પછી આ મંત્ર - ૐ ગં ગણપતયે વરવરદ સર્વજનં મેં વશમાનય સ્વાહા મંત્રનો 108 વાર જાપ કરવો. આમ કરતા જ એ સમયથી તમારા વેપારમાં વૃદ્ધી થવાનું શરૂ થઇ જશે.
ધનિક બનવા માટે
બુધવારના દિવસે રાત્રીમાં 12 વાગ્યે કોઇ સુમસાન ચાર રસ્તા પર મરીના 5 દાણા હાથમાં લઇને જાઓ. ચાર રસ્તા વચ્ચે ઉભા રહીને મરીના 5 દાણાને પોતાના પરથી 7 વાર ઉતારી લેવા. હવે 5માંથી 4 દાણા ચાર દિશાઓમાં એક-એક કરીને ફેંકી દો. પાંચમાં દાણાને તમારી ઉપર આકાશ તરફ જોરથી ફેંકી દો અને પાછળ જોયા વિના પાછા ઘરે આવી જાવ. આપના જીવનમાં અચાનક ધનની વૃદ્ધી થતી જોવા મળશે.