બાલાજી મંદિરની મિલકતની જાહેરાત કરી હતી જેમાં જણાવ્યું કે તેનું 10.3 ટન સોનું રાષ્ટ્રીય બેંકમાં જમા છે. મંદિરની રોકડ જમા રકમ 15938 કરોડ રૂપિયા છે.
તિરુપતિ બાલાજી ભગવાન મંદિરની સંપતિનો ખુલાસો
મંદિરની રોકડ જમા રકમ 15938 કરોડ રૂપિયા છે
TTDનું બેંકોમાં કુલ 2.26 લાખ કરોડનું રોકાણ
દેશના આરાધ્ય દેવ 'બાલાજી' સૌથી અમીર દેવતાઓમાંના એક છે. તેમના મંદિર એટલે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ શનિવારે મિલકતની માહિતી જાહેર કરી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે તેનું 10.3 ટન સોનું રાષ્ટ્રીય બેંકમાં જમા છે. તેની કિંમત 5 હજાર 300 કરોડ રૂપિયા છે. મંદિરની રોકડ જમા રકમ 15938 કરોડ રૂપિયા છે.
એક મીડિયાના પ્રકાશિત સમાચાર અનુસાર, મંદિર ટ્રસ્ટના બોર્ડે વર્ષ 2019 થી તેના રોકાણ માર્ગદર્શિકાને વધુ મજબૂત બનાવી છે. ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મંદાર ટ્રસ્ટ તેના વધારાના ભંડોળને આંધ્રપ્રદેશ સરકારની યોજનામાં રોકાણ કરશે.
ભક્તો ખોટા પ્રચારમાં વિશ્વાસ ન કરે - ટ્રસ્ટ
મંદિર ટ્રસ્ટે કહ્યું કે વધારાનું ભંડોળ ફક્ત બેંકોમાં જ રોક્યું છે. ટ્રસ્ટે કહ્યું- 'ભગવાનના ભક્તોને વિનંતી છે કે તેઓ કોઈપણ પ્રકારના ષડયંત્રના ખોટા પ્રચારમાં વિશ્વાસ ન કરે. TTD એ પારદર્શિતા સાથે ઘણી બેંકોમાં રોકડ અને સોનાનું રોકાણ કર્યું છે. TTD એ બેંકોમાં કુલ 2.26 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
રોકાણમાં સતત વધારો થયો
TTDના એક્ઝિક્યુટિવ ઓફિસર AV ધર્માએ જણાવ્યું હતું કે મંદિર ટ્રસ્ટની નેટવર્થ વધીને 2.26 લાખ કરોડ થઈ ગઈ છે. વર્ષ 2019માં TTDની બેંક ડિપોઝિટ 13025 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 15938 કરોડ રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ રોકાણમાં રૂ. 2900 કરોડનો વધારો થયો છે. TTDના બેંક સ્ટેટમેન્ટ અનુસાર, વર્ષ 2019માં બેંકમાં 7339.74 ટન સોનું જમા કરવામાં આવ્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષમાં તેમાં 2.9 ટન સોનું ઉમેરાયું છે. કહેવાય છે કે મંદિરની 960 પ્રોપર્ટી સહિત આ પ્રોપર્ટી દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી છે.