જો તમે શ્રીખંડ ખાવાના શોખીન હોય તો તમારાં માટે ચેતવણીના સમાચાર છે. અમદાવાદમાં મળતા લૂઝ શ્રીખંડમાં માત્રા કરતાં વધુ મળ્યાં છે બાયોલોજીક તત્વો, જેનાથી થઇ શકે છે ગંભીર બીમારીઓ. સીઇઆરસી દ્વારા પ્રકાશિત તપાસ અહેવાલમાં છે મીઠા શ્રીખંડમાં મળેલી કડવી વાસ્તવિકતાઓ.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય ગુજરાતી માટે શ્રીખંડએ મનગમતી મીઠાઇ વાનગી છે. પણ અમદાવાદ શહેરમાં મળતા લૂઝ શ્રીખંડ એટલે કે ખાનગી ડેરી દ્વારા નિર્મીત શ્રીખંડ તેના આરોગનારા માટે મુસીબત ઉભી કરી શકે તેના તત્વોથી ભરોલો છે તેમ અમદાવાદ સ્થિત ગ્રાહક શિક્ષણ અને સંશોધન ઉર્ફે સીઇઆરસીના અહેવાલમાં જણાવાયું છે. સીઇઆરસીના જુન -જુલાઇ 2019ના ગ્રાહકસાથી અંકમાં પ્રકાશિત માહિતી અનુસાર શહેરની 10 ખાનદગી ડેરીઓના શ્રીખંડમાં તેની નિયત માત્રા કરતાં જૈવિક તત્વ યીસ્ટ અને મોલ્ડ કાંઉટની અધિક માત્રા પ્રયોગશાળાની ચકાસણીમાં વધુ મળી છે.
અમદાવાદની 10 ડેરીમાં કરાઇ તપાસ
સીઇઆરસીના સંશોધનમાં અમદાવાદની કુલ 10 ડેરીઓના શ્રીખંડની તપાસ કરાઇ છે અને સરકારે નિયત કરેલ યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ પ્રતિ ગ્રામ 50 હોવાં જોઇએ તેની સામે ખાનગી ડેરીના શ્રીખંડમાં આ માત્રા અનેક ગણી છે.
આપને જણાવી દઇએ કે, જે મોઇકોટીન્સથી માનવ શરીર માટે ગંભર ખતરો પેદા થાય છે. આ કારણથી શ્વાસની ગંભીર બીમારી અને અલર્જી રિએકશન થાય છે. અમદાવાદની ખાનગી ડેરીના શ્રીખંડમાં સીઇઆરસીને પ્રતિ ગ્રામ યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ આ પ્રમાણે પ્રાપ્ત થયા છે.
માઇક્રોબાયોલીજક તત્વો જોવા મળ્યા શ્રીખંડમાં
સીઇઆરસીના સંશોધનમાં અમદાવાદની 10 ડેરીના સેમ્પલમાં તમામ સેમ્પલમાં માત્રામાં માઇક્રોબાયોલીજક તત્વો પ્રાપ્ત થયા છે અને તમામ સેમ્પલ તેની નિયત માપદંડમાં નિષ્ફળ નીવડ્યા છે. શ્રીખંડ અંગે સીઇઆરસીમાં સંશોધન કરનાર લેબ ડીરેક્ટરનો આ છે મત વીટીવીએ સીઇઆરસીએ જે લેબમા અમદાવાદની શ્રીખંડની 10 બ્રાન્ડનું સંશોધન કર્યું ત્યાં જઇને પણ રિયાલીટી ચેક કર્યું.
સીઇઆરસીના આ સંશોધન અને તેમના તત્થને જાણવા જ્યાંથી સેમ્પલ લાવવામાં આવ્યાં છે તે શ્રીખંડના વિક્રેતાઓની તેમના શ્રીખંડની ગુણવત્તા બાબતે તપાસ કરવા ગયા. સૌ પહેલા વીટીવીની ટીમ પહોંચી ચાંદલોડીયા વિસ્તારની શ્રી હરિસિદ્ધિ ડેરી પાર્લર ખાતે. શ્રી હરિસિદ્ધિ ડેરી પાર્લરના કરતા હરતાઓએ શ્રીખંડની ઉતરતી ગુણવતા અને જોખમી તત્વો અંગે કંઇ બોલવા અંગે સ્પષ્ટ ઇન્કાર કર્યો. પોતાના બચાવમાં કહ્યું અમે શ્રીખંડ વેચીએ છીએ.
અમે શ્રીખંડ બનાવતા નથી કહી પોતાની જવાબદારી શ્રીખંડ નિર્મતા ઉમિયા ડેરી ઉપર સીફતથી સરકાવી દીધી. ચાંદલોડીયા બાદ વીટીવીની ટીમ પહોંચી ઉસ્માનપુરાના પટેલ દૂગ્ધાલય ખાતે. જ્યાં અમે પટેલ દૂગ્ઘાલયના માલિક અનિલ પટેલ સાથે અમે કર્યો શ્રીખંડમાં જોખમી તત્વો અંગેનો ખૂલાસો.
માલિકે ન આપ્યો સરખો જવાબ
સીઇઆરસીએ અમદાવાદની જાણીતી શ્રીખંડ નિર્માણ કરતી દૂકાન ગોપી કાંતિલાલ મણીલાલની શ્રીખંડ પ્રોડેક્ટમાંથી યીસ્ટ અને મોલ્ડ કાઉંન્ટ 21 ગણા શોધી કાઢ્યા.. આ બાબતે વીટીવીની ટીમ સાથે ગોપી કાંતિલાલ મણીલાલ ફર્મના વડીલ રાજેશભાઇએ કેમેરા સામે કંઇ પણ બોલવા અંગે ના કહ્યું અને કહ્યું કે મારી પ્રોડક્ટ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ ઉપયોગમાં લેવાય છે. અમારી પોતાની લેબ છે અને હવે આમારાં શ્રીખંડની ગુણવત્તા હવે ચેક કરાવીશું.
સીઇઆરસીના શહેરમાં મળતા લૂઝ શ્રીખંડ તેને ખાનારા માટે કેટલો જોખમી છે તે રિપોર્ટે તેના ચાહકોમાં ખળભળાટ મચાવ્યો છે. સરકારી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે હજી નિષ્ક્રીય છે.. જે જાહેર આરોગ્ય માટે ખતરાં સમાન છે.. સીઇઆરસીનું સંશોધન રિપોર્ટ સરકારી તંત્રની ઊંધ ઉઘાડી દે તેવો છે.