2020 નું બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ બીજું બજેટ છે. આ બજેટ પછી શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે બજેટને જો ધ્યાનથી સમજવામાં આવે તો સમજાય છે કે સરકારની નીતિ મુજબ ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળે તેવી સંભાવના છે.
મોદી સરકારે પોતાની બીજી ટર્મનું બીજું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પછી શેરબજારમાં જબરદસ્ત કડાકો બોલ્યો. સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ તો નિફ્ટીમાં 300થી વધુ પોઇન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. અંતે, સેન્સેક્સ 987.96 પોઇન્ટના ઘટાડા સાથે 39735.53 પોઇન્ટ પર બંધ રહ્યો. તે જ રીતે નિફ્ટી 300.25 પોઇન્ટના ઘટાડા સાથે 11661.85 ની સપાટીએ બંધ રહ્યો હતો. જો કે બજેટ 2020 ની રજૂઆત પછી શેર બજારમાં ઘટાડા છતાં ઘણા એવા ક્ષેત્રો છે જેમાં ભારે નફો થવાની સંભાવના છે.
કયા ક્ષેત્ર સમૃદ્ધ થશે?
પીએમ કુસુમ યોજના દ્વારા ખેડૂતોને સોલાર પમ્પ સુવિધા આપવામાં આવશે. જેમાં 20 લાખ ખેડુતો આ યોજના સાથે જોડાશે. આ ઉપરાંત 15 લાખ ખેડુતોના ગ્રીડ પમ્પ પણ સોલાર સાથે જોડાશે. આ ઉપરાંત પાણીના અભાવને લઈને 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવવામાં આવશે જેથી ખેડુતોને પાણીને લગતી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આવી સ્થિતિમાં પમ્પ અને પાઇપ તેમજ કૃષિને લગતા શેરોમાં રોકાણ કરવાથી આગામી સમયમાં સારો નફો મળી શકે છે.
આઇટી ક્ષેત્રે વૃદ્ધિની અપેક્ષા
2020ના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દેશભરમાં ડેટા સેન્ટર પાર્ક બનાવવાની વાત કરી છે. તેમણે ડેટાને એક ખજાનો ગણાવ્યો છે. આ ઉપરાંત સીતારમણે બજેટ રજૂ કરતી વખતે ક્વોન્ટમ ટેકનોલોજી પર ભાર મૂક્યો હતો અને સરકારની યોજના જણાવી હતી. આ ઉપરાંત 1 લાખ ગ્રામ પંચાયતોને ભારતનેટ સાથે જોડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ભારતનેટ માટે 6000 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં આગામી સમયમાં આઇટી ક્ષેત્રે વૃદ્ધિ જોવા મળી શકે છે. ડેટાની દ્રષ્ટિએ સરકાર સકારાત્મક છે. આઇટી ક્ષેત્રના શેરમાં રોકાણ કરીને નફો મેળવી શકાય છે.
સરકાર IDBI બેંકમાં તેનો બાકીનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. સરકાર આઈડીબીઆઈ બેંકનો હિસ્સો ખાનગી રોકાણકારોને વેચશે. આવી સ્થિતિમાં લાંબા સમય માટે IDBI બેંકમાં રોકાણ કરી શકે છે. IDBI બેંકમાં LICનો પણ મોટો હિસ્સો છે. આવી સ્થિતિમાં બેંકની વૃદ્ધિની સંભાવનાઓ જોવા મળી રહી છે.
ગેસ / ઉર્જાના શેરમાં વધારો થવાની સંભાવના છે
નાણાં પ્રધાને જાહેરાત કરી છે કે નેશનલ ગેસ ગ્રીડ શરૂ કરવામાં આવશે. આ સાથે પાવર-એનર્જી માટે 22 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ રેલવેની ખાલી પડેલી જમીન પર સોલાર એનર્જી સેન્ટર બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં ગેસ અને ઉર્જા સંબંધિત શેરોમાં આગામી દિવસોમાં ઠીકઠાક વૃદ્ધિ જોવા મળી શકે છે.