આજે વાત છે દક્ષિણ ગુજરાતના વિકાસની અને દક્ષિણમાં દબાયેલી જનતાની....દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ, સુરત, બારડોલી, અને વલસાડની બેઠક પર લોકસભાની ચૂંટણીને લઈને સંગ્રામ જામ્યો છે. વિકાસનો મુદ્દો હોય છે પછી હોય વિપક્ષનો મુદ્દો. આજે પણ દક્ષિણના કેટલાક વિસ્તારોમાં જનતા વિકાસથી વંચિત હોવાના દાવા થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ વીજળી પહોંચી નથી....તો કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે....ત્યારે આ બેઠકો પર વિકાસનો મુદ્દો ચાલશે કે પછી સાંપ્રદાયિક રાજનીતિ ચાલશે.? દક્ષિણ ગુજરાતના આ અંતરીયાળ વિસ્તારોમાં સાંસદોએ લોકોના પ્રણ પ્રશ્નો ઉકેલ્યા છે કે કેમ.?..અહીની જનતા સંતુષ્ટ છે કે નહી.?. કે પછી સાંસદે માત્ર સત્તા જ ભોગવી છે? . આ સહિતના સવાલોના જવાબો મેળવીશું અને મહામંથન કરીશું સાસંદનું સરવૈયું પાર્ટ થ્રીમાં