માંડવી તાલુકાના પૂના ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરીત બની છે. શિક્ષિકાએ શાળા રિપેર કરવા સરપંચને કરી રજૂઆત કરી હોવા છતાં કંઈ પરિણામ આવવા પામ્યું નથી.
પુના ગામની પ્રાથમિક શાળા જર્જરિત
પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત
બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
હાલ ની વિધાનસભા માં શિક્ષણ ને લઇ દિલ્હી અને ગુજરાત મોડલ ની વાતો કરવામાં આવી હતી. અને આ ચૂંટણી માં દિલ્હી મોડલ નો પ્રચાર હાવી રહ્યો હતો પરંતુ ગુજરાતની જનતા એ સ્થિર સરકાર ને મત આપ્યા હતા. ત્યારે હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર આવનાર લોકસભામાં દિલ્હી મોડલ નું શિક્ષણ સતા વિહીન કરી નાંખે એ પહેલા ગુજરાત મોડલ દિલ્હી મોડલ પર હાવી થાય અને ત્યારે જ શક્ય બને કે ગુજરાતની સરકારી શાળા આધુનિક બને. ભણવા લાયક બને. ત્યારે હવે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી ગુજરાતના શિક્ષણ પર ધ્યાન આપે એવી માંગ ઉઠવા પામી છે.
વિદ્યાર્થીઓ ઓરડા બહાર બેસીના લઈ રહ્યા છે શિક્ષા
માંડવી તાલુકાના પુના ગામની પ્રાથમિક શાળાના ઓરડા બહાર બેસી બાળકો શિક્ષણના પાઠ ભણી રહ્યા છે. પણ તેમના મનમાં એક જ ડર છે શાળાની છત ના પતરા કે નળીયા તૂટીને પડ્યા તો. આ ડર માત્ર બાળકોમાં નહીં પણ ગામના સરપંચ અને શાળાના મુખ્ય શિક્ષક પણ ચિંતામાં છે એટલેજ મુખ્ય મહિલા શિક્ષકે ગામના સરપંચને લેખિત ફરિયાદ કરી છે અને ગામના સરપંચે તાલુકા શિક્ષક સંઘને મૌખિક રજુઆત કરી છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા તંત્ર જાગે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
જર્જરીત શાળામાં વાલીઓ પોતાના બાળકોને મોકલતા ડરી રહ્યા છે
આમતો રાજ્ય સરકાર શિક્ષણ ને લઈને જાગૃત હોવાનો ડોળ કરે છે. ભણશે ગુજરાત.. આગળ વધશે ગુજરાત.. પણ સવાલ એ થાય જે શાળામાં શિક્ષક ની ઘટ હોય અને શાળા જર્જરિત હોય પછી કેવી રીતે ભણશે ગુજરાત, વાલીઓ પોતાના બાળકોને ગામની શાળામાં મોકલતા પણ ડરી રહ્યા છે. અને પોતાના બાળકોને બીજી શાળામાં મોકલવા મજબુર બન્યા છે.