બનાસકાંઠા જિલ્લામાં આવેલીમાં આવેલી 181થી વધુ ગૌશાળા અને પાંજરાપોળોને મળતું દાન અટકતા મુશ્કેલી. રાજ્ય સરકારના બજેટમાં મુદ્દો નહીં મુકાય તો વિદ્યાનસભા સુધી ગૌધન છોડવા ચીમકી
રાજ્યની ગૌશાળાઓ આર્થિક તંગીમાં
ઓછો વરસાદ,ઘાસચારાની તંગીનું કારણ
દાનવીરોના દાન બંધ, ઘાસચારાના ભાવ વધ્યા
કોરોના કાળમાં સામાન્ય માનવી જ નથી મુશ્કેલીમાં મુકાયો પરંતુ આર્થીક નીભાવથી ચાલતી ગૌશાળામાં ઘાસચારાની તંગીથી પશુધન પણ મુશકેલીમાં મુકાયું છે. રાજ્યની પાંજરા પોળ આર્થિક સંકડામણ અનુભવી રહી છે.અને પશુધનનો નિભાવ પણ આકરો પડે છે. રાજ્ય સરકાર પાસે એવી પણ માંગ કરાઈ છે કે, આગામી બજેટમાં પાંજરાપોળના નિભાવ માટે અલગ જોગવાઈ કરે. અત્યાર સુધી જે દાનવીરો ગૌ શાળાના નિભાવ માટે દાન કરતા હતા તેઓના પણ અનુદાન બંધ થતા પારાવાર મુશ્કેલી સર્જાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલીમાં આવેલી 181થી વધુ ગૌશાળા અને પાંજરાપોળોને મળતું દાન અટકતા મુશ્કેલી સર્જાય છે. આ દાન કોરોના સમયથી અટકી ગયુ છે. સરકારી સહાય પણ અટકી જતાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો સરકાર પાસે આગામી બજેટમાં ગૌ શાળા અને પાંજરાપોળ માટે સહાયનો મુદ્દો મુકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
તો ..ગૌધન છોડવાની ચિંમકી
જો રાજ્ય સરકાર દ્વારા બજેટમાં આ મુદ્દો નહીં મુકાય તો સ્થાનિક લેવલે લઈ વિદ્યાનસભા સુધી ગૌધન છોડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તાજેતરમાં કોરોનાની સ્થિતિ દરમ્યાન દાનવીરો દ્વારા મળતુ દાન તો બંધ થઈ જ ગયું છે પરંતુ સરકાર દ્વારા પણ ફાળવાતી સહાય અટકી જતાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારને વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી સંચાલકો એકઠા થઈ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં. તાજેતરમાં જિલ્લામાં નહિવત વરસાદને લઈ સુકો ઘાસચારો ઉત્પન્ન થઈ શક્યો નથી. જેને લઈ સૂકા ઘાસ ચારાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે.