આપણા દેશમાં અનેક ગામ છે. લગભગ 70 ટકા વસ્તી આજે પણ ગામમાં વસવાટ કરી રહી છે. પરંતુ એક ગામ એવુ છે, જે દેશોની વચ્ચે છે. અહીં રહેતા ઘણા લોકોના ખેતર અને ઘર પણ બે દેશોની વચ્ચે છે. એટલેકે ઘરનો બેડરૂમ એક દેશમાં છે તો રસોડુ બીજા દેશમાં.
ભારતનું આ એવુ ગામ છે, જે બે દેશોની વચ્ચે છે
ઘરનો બેડરૂમ એક દેશમાં છે તો રસોડુ બીજા દેશમાં
ગ્રામજનોને સરહદ પાર કરાવવા માટે વીજાની જરૂર નથી
સૌથી રસપ્રદ વાત એ છે કે અહીંના ગ્રામજનોને સરહદ પાર કરાવવા માટે વીજાની જરૂર નથી. પરંતુ તેઓ બંને દેશમાં સ્વતંત્ર રીતે ફરી શકે છે.
મ્યાનમાર સરહદ સાથે જોડાયેલુ છે દેશનું અંતિમ ગામ
અમે વાત કરી રહ્યાં છે, નાગાલેન્ડમાં એક લોંગવા ગામની. આ ગામ મોન જિલ્લાના સૌથી મોટા ગામમાં આવે છે. આ એક એવુ ગામ છે, જ્યાથી ભારત અને મ્યાનમારની સરહદ પસાર થાય છે. આ ઘટાદાર જંગલોની વચ્ચે મ્યાનમાર સરહદ સાથે જોડાયેલુ દેશનું અંતિમ ગામ છે. અહીં કોંયાક આદિજાતિના લોકો રહે છે. જેને ખૂબ જ ખુંખાર માનવામાં આવે છે. પોતાના વંશની શક્તિ અને જમીન કબ્જે કરવા માટે તે અવાર-નવાર પાડોશી ગામો સાથે લડાઈઓ કરતા હતા.
ગામના ઘણા લોકો મ્યાનમારની સેનામાં જોડાયા
મહત્વનું છે કે, મ્યાનમાર બાજુ લગભગ 27 કોન્યાક ગામ છે. તો નાગાલેન્ડના લોકો ખૂબ મિલનસાર છે. અહીંના કેટલાંક સ્થાનિક લોકો મ્યાનમાર સેનામાં જોડાયા છે. 1960ના દાયકા સુધી ગામમાં માથાનો શિકાર ખૂબ લોકપ્રિય પ્રથા રહી છે. જેના પર 1940માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો. આ ગામના ઘણા પરિવારની પાસે પીતળની ખોપડીનો હાર જોવા મળે છે, જેને જરૂરી માન્યતા જણાવવામાં આવે છે.