કેન્દ્ર સરકાર જલ્દી જ Long Term Capital Gains (LTCG) ટેક્સને પરત લે તેવી શક્યતા છે. LTCG ટેક્સ પરત લેવાથી ઘણી કંપનીઓને મોટી રાહત મળી શકે છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં બે વરિષ્ઠ સરકારીઓ જણાવ્યું કે LTCG ટેક્સને લઇને પ્રદાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલય વચ્ચે ગંભીર મંત્રણા થઇ છે.
મોટી કંપનીઓને મોટી રાહત આપવાની તૈયારી
LTCG ટેક્સને નાબૂદ કરવાની સરકારની વિચારણા
PMO અને નાણા મંત્રાલય વચ્ચે મંત્રણા
જો કે એવી સંભવના છે કે નાણાં મંત્રાલય તરફથી આ અંગેની જાહેરાત આ વર્ષના ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવનાર બજેટમાં કરવામાં આવી શકે છે.
આ અગાઉ રાષ્ટ્ર નિર્માણમાં નિષ્પક્ષ યોગદાન આપવાના હેતુથી LTCG ટેક્સ મોટી કંપનીઓ પર લગાવામાં આવ્યો હતો. તે સમયે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જણાવ્યા બાદ નાણા મંત્રાલય તરફથી લેવામાં આવ્યો હતો.
પરંતુ સરકાર અને મોટી કંપનીઓએ જાણ્યું કે LTCG થી રેવન્યુ એકઠી કરવી મુશ્કેલ થઇ રહી છે. ત્યાર બાદ સરકારે ઇક્વિટીમાં લાંબા સમય સુધી ફલો બનાવી રાખવા માટે દબાણ વધારવા માટે આ ટેક્સને નાબૂદ કરવાનું મન બનાવી લીધુ છે.