રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ માનવાની વિરૃદ્ધ છે, આ અપરાધ છે. અંતિમ સંસ્કારોનો આ અંતહિન સિલસિલો અહંકારી શાસકોના પથ્થર દિલનો પુરાવો છે.
રણદીપ સુરજેવાલાએ ઉમેર્યું કે પોતાના માણસોની લાશોના પાયા પર સરકાર મજબૂત કેવી રીતે બની શકે. સ્મશાનગૃહો બહાર લાગેલી મૃતદેહોની મોટી મોટી લાઈનની એક તસવીર શેર કરતા સુરજેવાલાએ ટ્વિટર પર લખ્યું કે આ તસવીરો અને ઘટનાઓ જીવનભર મોદી સરકારનો પીછો કરશે.
एक दूसरे की सहायता करते आम जन दिखाते हैं कि किसी का दिल छूने के लिए हाथ छूने की ज़रूरत नहीं।
मदद का हाथ बढ़ाते चलो
इस अंधे ‘सिस्टम’ का सच दिखाते चलो!#TogetherStronger
આંધળી સિસ્ટમને સત્ય દેખાડવાનો સમય આવ્યો- રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું કે આંધળી સિસ્ટમને સત્ય દેખાડવાનો સમય આવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે એક બીજાની સહાયતા કરીને લોકો દેખાડી રહ્યાં છે કે કોઈના દિલનો સ્પર્શ કરવા માટે હાથના સ્પર્શની જરુર નથી. મદદનો હાથ આગળ વધારતા રહો. આ આંધળી સિસ્ટમને સત્ય દેખાડતા ચાલો.