ગરીબ લોકોને મકાન મળી રહે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના લાગૂ કરવામાં આવી છે.. આ યોજના હેઠળ લોકોને મકાન આપવામાં આવે છે.. ત્યારે આવાસ યોજનામાં મકાનના ફોર્મ લેવા માટે રાજકોટમાં લાઈનો લાગી છે.. વહેલી સવારથી લોકો લાઈનોમાં ઉભા છે.. 1 BHKના 2,176 આવાસ માટેના ફોર્મ વિતરણ કરાઈ રહ્યા છે.. મનપાએ આવાસ યોજનાના ફોર્મની સત્તા બેંકને સોંપી છે.. બેંક શરૂ થાય તે પહેલા જ મોટી સંખ્યામાં લોકો બેંકની બહાર લાઈનો લગાવે છે..