હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા, પૂછપરછમાં ISI અને લશ્કરની કડી પણ સામે આવી
ભારતના પાડોશી દેશ પકિસ્તાનની ફરીવાર નાપાક હરકત
ભારત વિરુદ્ધ પાકિસ્તાનના એક મોટા ષડયંત્રનો ખુલાસો
હૈદરાબાદમાં લોન વુલ્ફ એટેકની તૈયારીઓ કરતાં આતંકવાદીની ધરપકડ
હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં મોટા ખુલાસા
ભારતના પાડોશી દેશ પકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ ભારત વિરુદ્ધ પાકિસ્તાનના એક મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. વિગતો મુજબ હૈદરાબાદમાં લોન વુલ્ફ ઍટેક ની તૈયારીઓ ચાલી રહી હતી. હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. પૂછપરછમાં ISI અને લશ્કરની કડી પણ સામે આવી છે. પકડાયેલ આતંકવાદી ઝાહીદ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેને હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરવામાં આવતા હતા.
હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. વિગતો મુજબ તેણે હેન્ડલર્સના કહેવા પર ઘણા લોકોની ભરતી પણ કરી હતી. આ દરમ્યાન રેલી કે જાહેર સ્થળ પર હુમલો કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. આ બધું પાકિસ્તાનના ઈશારે થઈ રહ્યું હતું. પાકિસ્તાન દ્વારા ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું.
It was also learnt that Zahed had received hand grenades from Pakistan-based handlers and was planning to hurl them at public gatherings and processions in order to create communal tension: NIA
આતંકી પાસેથી શું-શું મળ્યું ?
NIAની FIR દ્વારા પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના ઠેકાણામાંથી 2 હેન્ડ ગ્રેનેડ, લગભગ 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝાહીદને અગાઉ 2005માં આત્મઘાતી બોમ્બ ધડાકાના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પુરાવાના અભાવે 2017માં તેને છોડી દેવામાં આવ્યો હતો.
આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું
NIAના જણાવ્યા અનુસાર ઝાહીદે તેની ગેંગના સભ્યો સાથે મળીને પાકિસ્તાનથી તેમના હેન્ડલર્સની સૂચનાઓના આધારે હૈદરાબાદ શહેરમાં વિસ્ફોટ અને એકલા વરુના હુમલા સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડ્યું હતું. NIAએ કહ્યું કે, એવું પણ જાણવા મળ્યું છે કે, ઝાહીદને તેના હેન્ડલર્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો અને તે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે શહેરમાં જાહેર સભાઓ અને સરઘસો પર ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો. નોંધનીય છે કે, 2 ઓક્ટોબર, 2022ના રોજ હૈદરાબાદ પોલીસે જાહેર સભાઓમાં ગ્રેનેડ ફેંકવાનું કાવતરું ઘડવા બદલ અબ્દુલ ઝાહીદ, મોહમ્મદ સમીઉદ્દીન અને મેજર હસન ફારૂકની ધરપકડ કરી હતી.
શું હોય છે લોન વુલ્ફ એટેક?
લોન વુલ્ફ એટલે જંગલી શિયાળ
જંગલી શિયાળની માફક કરવામાં આવતા આતંકી હુમલાને લોન વુલ્ફ એટેક કહેવાય
લોન વુલ્ફ એટેકમાં એક જ આતંકી દ્વારા હુમલો કરવામાં આવે છે
આતંકીનો મુખ્ય ઉદ્દેશ્ય ભીડ વાળા વિસ્તાર પર હુમલો કરી વધુ લોકોની હત્યા કરવાનો હોય છે
ગન, હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારો સાથે આતંકી હુમલો કરે છે
સ્લીપર સેલ તરીકે આતંકીઓ કાર્યરત હોય છે
એક આતંકી હુમલાને અંજામ આપે છે
હાઈબ્રિડ આતંકીઓનું મુખ્ય ઉદ્દેશ્ય સૌથી વધુ નુકસાન પહોંચાડવાનો હોય છે
આતંકીની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડે છે
સૌથી વધુ ISISના આતંકીઓ કરે છે લોન વુલ્ફ એટેક
ભીડવાળા સ્થળોએ લોકો પર ટ્રક કે મોટું વાહન ચઢાવી દેવું
ભીડવાળા સ્થળોએ અચાનક ગ્રેનેડ ફેંકવો કે અંધાધૂંધ ફાયરિંગ કરવું