અમેરિકામાં 25 મેના રોજ પોલીસ કસ્ટડીમાં અશ્વેત સિવિલિયન જ્યોર્જ ફ્લોયડના મોતને પગલે બ્રિટનમાં પણ દેખાવો થઈ રહ્યા છે. આ સમય દરમિયાન લંડનના પાર્લામેન્ટ સ્વેરમાં રહેલી મહાત્મા ગાંધી અને વિંસ્ટન ચર્ચિલની પ્રતિમાઓને નુકસાન થયું હતુ. જેને પગલે હવે ગાંધી, મંડેલા અને ચર્ચિલની પ્રતિમાઓને તોડવામાં આવી રહી છે. તમામ પ્રતિમાઓને ઉતારી લેવા માટે અનેક અરજીઓ આવી છે.
સાંસદ ફ્લોરેન્સ એશાલોમીએ ભારતીય મૂળના ગૃહમંત્રીને નિશાન બનાવતા કહ્યું કે
ગાંધીની પ્રતિમાને હટાવવાની અરજી પર 5,000થી વધુ હસ્તાક્ષરો થયા
સેન્ટ્રલ લંડનથી જનરલ હેવલોક અને જનરલ ક્લાઇવની પ્રતિમાને હટાવવાની માંગ
જેને પગલે પ્રતિમાઓની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જો કે, હવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લંડન કાર્યાલયના મેયર દ્વારા મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને વિંસ્ટન ચર્ચિલની પ્રતિમાઓને હટાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે લિસ્ટર સિટી કાઉન્સિલ શહેરની તમામ શેરીઓના નામ, મૂર્તિઓ અને સ્મારકોની સમીક્ષા કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવાની અરજી પર 5,000થી વધુ હસ્તાક્ષરો થયા હતા.
જેના જવાબમાં એક ચેરિટી સંસ્થાએ પ્રતિમાની આજુબાજુના ફરતે ઉભા રહીને અને સફેદ રિબન બાંધીને વિરોધ કર્યો. ત્યારે ભારતીય મૂળના લોકોએ સેન્ટ્રલ લંડનથી જનરલ હેવલોક અને જનરલ ક્લાઇવની પ્રતિમાને હટાવવાની માંગ કરી છે.
પ્રદર્શન દરમિયાન બ્રિટન વિંસ્ટન ચર્ચિલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાઓને જાતિવાદી લખીને વિકૃત કરવામાં આવી હતી. ત્યારે વિરોધીઓએ બ્રિસ્ટલમાં એડવર્ડ કોલ્સ્ટનની પ્રતિમાને પાડી દીધી. કોલસ્ટન રોયલ આફ્રિકન કંપનીનો સભ્ય હતો. જેણે આફ્રિકાથી 80,000 લોકોને અમેરિકા લઈ ગયા હતા.
બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલે આ ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમણે લંડનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભીડના વર્તન અંગે પણ સખત વાંધો ઉઠાવ્યો હતો. જેમાં 60 થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા હતા. ત્યારે લેબર પાર્ટીના સાંસદ ફ્લોરેન્સ એશાલોમીએ ભારતીય મૂળના ગૃહમંત્રી પર નિશાન સાધતા કહ્યું હતું કે જાતિવાદના મુદ્દા પર તેમની પાસે સમજનો અભાવ છે.