મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટ પર બીજેપી ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ કોંગ્રેસના દિગ્વિજય સિંહનો રસ્તો સાફ બની રહ્યો છે. કેમકે લોકતાંત્રિક જનતા દળ (લોજદ)એ ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને સમર્થન આપવાનું મંગળવારે એલાન કર્યું છે.
મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટ પર બીજેપી ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ કોંગ્રેસના દિગ્વિજય સિંહનો રસ્તો સાફ બની રહ્યો છે. કેમકે લોકતાંત્રિક જનતા દળ (લોજદ)એ ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને સમર્થન આપવાનું મંગળવારે એલાન કર્યું છે.
લોજદ તરફથી આયોજિત સંવાદદાતા સંમ્મેલનમાં હાજર લોક ક્રાંતિ અભિયાન સંયોજક ગોવિંદ યાદવ, લોજદ પ્રદેશ મહાસચિવ પ્રકાશ ગવાંદે, ઉપાધ્યક્ષ હરિઓમ સૂર્યવંશી, સ્વરૂપ નાયક, જિલ્લાધ્યક્ષ વિવેક જોશી અને અશ્વિન માલવીય ને કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી પર ખોટા વાયદાનો આરોપ લગાવ્યો.
વધુમાં કહ્યું કે, ગત પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારના કાર્યકાળમાં સંવેધાનિક લોકતંત્રના ચાર સ્તંભો વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને પત્રકારિતા પર સંકટના વાદળ ઘેરાયેલા છે. સંવેધાનિક લોકતંત્રની રક્ષા અને આ સંસ્થાઓને સંકટથી મુક્ત કરવા માટે ભોપાલની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી ઐતિહાસિક રીતે આવશ્યક છે.
એમણે આગળ કહ્યું, 'સત્તામાં આવેલ ભાજપે પોતાના વાયદા પૂર્ણ કરવાની જગ્યાએ ન્યૂ ઇન્ડિયાના નામે દેશની પ્રાકૃત્તિક સંપત્તિ અને રાષ્ટ્રિય સંપત્તિઓનું ખાનગીકરણ કરી બહુરાષ્ટ્રીય કંપનીઓને સોપી દીધી છે. આ સંવૈધાનિક વિરોધી કૃત્ય છે. લોજદે સંવૈધાનિક લોકતંત્રને બચાવવા માટે ગેર ભાજપા વિરોધી દળોની એકતા અને મતોના વિભાજનને રોકવા માટે દિગ્વિજય સિંહને સમર્થનનો નિર્ણય કર્યો છે.