આજે આપણે વાત કરીશું એક એવી લોકસભા બેઠકની. જેના તાર સીધા જ દિલ્લીની ગાદી સાથે જોડાયેલા છે. એવું કહેવાય છે કે, જે કોઈપણ પક્ષનો ઉમેદવાર અહીં જીત્યો. સમજો તેની કેન્દ્રમાં સત્તા સ્થપાઈ. આવું અમે નહીં પરતુ દેશનો ઈતિહાસ કહે છે. આ બેઠક છે.. મહારાષ્ટ્ર અને દાદરા અને નગરહવેલીને અડીને આવેલી વલસાડ બેઠક. જોકે બેઠકના તાર ભલે આઝાદી કાળથી દિલ્લીની ગાદી સાથે જોડાયેલા હોય. પરંતુ આ વર્ષે લોકોના મુદ્દા પણ એટલા જ માયને રાખે છે.. કારણ કે, વધતી જતી સમસ્યાઓથી લોકો પરેશાન છે. ત્યારે શું છે વલસાડ બેઠક પર 2019નો માહોલ અને કેવા-કેવા છે લોકોના મુદ્દા આ તમામ મુદ્દે વાત કરીશું પરંતુ તે પહેલા જોઈએ એક નાનકડો અહેવાલ...