રાખેંગાર અને રાણકદેવી દેવીની સાક્ષીની ભૂમિની. દામોદર કુંડ અને હર હર ભોલેના નાદથી ગુંજતી ભૂમિની. શાંત અને નિર્મળ વાતાવરણ છે જે ભૂમિની ઓળખ..એટલે જ કદાચ વિકાસથી વંચિત પણ છે. પ્રજા વિકાસ ઝંખે છે. વર્ષોથી તો અહીં ભાજપનું શાસન છે. પરંતુ લાગે છે કે, આ વખતે વર્ષોનો ગઢ ગાયબ થઈ જશે. કારણ કે, લોકોમાં રોષ છે. સતત વધતી સમસ્યાઓને લઈને. સતત થઈ રહેલા અણગમાને લઈને. અનેક મુદ્દાઓ પણ છે. અનેક માગો પણ છે.. આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું પરંતુ તે પહેલા એક નજર સૌરાષ્ટ્રની આ ધરાના નાનકડા અહેવાલ પર પણ કરી