સતત હોબાળા બાદ આજે લોકસભા અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવી પડી હતી. સંસદના ચોમાસું સત્ર દરમિયાન સંસદની કાર્યવાહી બિલકુલ યોગ્ય રીતે ચાલી શકી ન્હોતી. જેને લઈને સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી હતી.
લોકસભા આજે અનિશ્ચિત કાળ સુધી સ્થગિત
ચોમાસું સત્રનું છેલ્લું અઠવાડિયુ
માત્ર 22% સમય ઉત્પાદક રહ્યો
પેગાસસ, ખેતીના સુધારા, પેટ્રોલ-ડિઝલના ભાવ જેવા વિવિધ મુદ્દે ઘેરાયેલી સરકાર ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં કામગીરી કરવામાં સતત નિષ્ફળ ગઈ હતી.
ચોમાસું સત્રનું છેલ્લું અઠવાડિયુ
ચોમાસું સત્રનો છેલ્લો સમયગાળો એટલે કે છેલ્લું અઠવાડિયુ ચાલી રહ્યું છે. લોકસભામાં મંગળવારે રાજ્યોને ઓબીસી લિસ્ટિંગ કરવાના અધિકાર આપવા માટેનું બિલ કોઈ પણ વિરોધ વિના પસાર થઈ ગયું હતુ. હવે આ બિલ રાજ્યસભામાં પસાર થવા જય રહ્યું છે. અને કદાચ રાજ્યસભામાંથી પણ આ બિલ કોઈપણ વિરોધ વિના પસાર થઈ જશે એવું માનવમાં આવી રહ્યું છે. પરંતુ આ સિવાય સરકારને પેગાસસ, ખેતીના સુધારા, પેટ્રોલ-ડિઝલના ભાવ જેવા વિવિધ મુદ્દે વિપક્ષ દ્વારા ઘેરવામાં આવી રહી છે.
લોકસભાની કાર્યવાહી સ્થગિત
લોકસભા આજે અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. સત્રના સમાપન સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતુંબ કે લોકસભામાં અપેક્ષા અનુસાર કાર્યવાહી ચોમાસું સ્તર દરમિયાન નથી થઈ શકી. માત્ર 22% સમય ઉત્પાદક રહ્યો હતો જ્યારે બાકીનો સમય તો હોબાળાના કારણે વેડફાઇ ગયો હતો.
I am hurt by the fact that the proceedings of the House did not take place as per expectations in this Session. I always make an effort to see that maximum Business takes place in the House & discussions are held over issues related to the public: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/vTkJZmEdAO
20 બિલ પસાર કરવામાં આવ્યા
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે 127 મો બંધારણીય સુધારો ગણતાં કુલ 20 બિલ પસાર કરવામાં આવ્યા હતા. 66 તારાંકિત પ્રશ્નોના જવબ આપવામાં આવ્યા હતા. અને સદનના નિયમ 377 આધારિત સદસ્યોએ 337 પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્પીકરની કસ્ટમરી મિટિંગમાં પ્રધાનમંત્રી મોદી, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
રાજ્યસભામાં ભાવુક થયા વેંકૈયા નાયડુ
રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ગઈ કાલે હોબાળા બાદ સદ્દનની પવિત્રતા નાશ પામી હતી. અમુક સદસ્યો ટેબલ પર ચડી ગયા હતા જે અયોગ્ય હતું. આ સાથે આ તમામ હોબાળો મચાવનાર સાંસદો સામે નાયડુ એક્શન લે તેવી સંભાવના છે.