લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત એક્શનમાં જોવા મળ્યા હતા. ભરૂચમાં વિના અડચણે પાણી પહોંચે તે અંગે તપાસ કરવા માટે તેઓ નિકળ્યા હતા. આજે તેઓ કેવડિયાથી ભરૂચ શુક્લતીર્થની યાત્રા કરશે.
નર્મદા નિગમના અધિકારીઓને સાથે રાખીને તેઓ તપાસ કરશે. મહત્વનુ છે કે, ભરૂચમાં પાણીની સમસ્યાને લઈને મનસુખ વસાવાએ સરકારમાં નર્મદામાં પાણી છોડવાની માગ કરી હતી. મનસુખ વસાવાની રજૂઆત બાદ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.