ચૂંટણીની પૂર્ણાહૂતિ સાથે બીજેપીએ દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશ સરકાર પાસે બહુમત નથી.
કોંગ્રેસના નેતૃત્વ વાળી વર્તમાન સરકારમાં મુખ્યમંત્રી કમલનાથે તેના પર કહ્યું કે તે શક્તિ પરીક્ષણ માટે તૈયાર છે. પાંચ મહીનામાં એમણે ઓછમાં ઓછા ચાર વાર બહુમત સાબિત કરી ચુક્યા છે. એવામાં તે ફરી બહુમત સાબિત કરી બતાવશે.
મુખ્યમંત્રી કમલનાથે આ સાથે આરોપ લગાવ્યો કે એ (BJP) લોકો પોતાની પોલ ખુલવાના ડરથી ડરેલા છે. તેથી હેરાન કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
એએનઆઇ સાથેની વાતચિતમાં કમલનાથે કહ્યું કે, એ (BJP) આ મામલે સતત પ્રયાસ કરી રહ્યા છે. ગત પાંચ મહીનામાં ઓછામાં ઓછા ચાર વાર બહુમત સાબિત કરી છે. તે એવું ફરી વાર કરવા ઇચ્છે છે. તો અમારો પણ કોઇ વિરોધ નથી. જોકે તે ક્યાંક બહારના પડી જાય તેથી વર્તમાન સરકારને અવ્યવસ્થિત કરવા પર જોર લગાવી રહ્યા છે. સરકાર (અમે) ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે.
આપને જણાવીએ કે કમલનાથના આ નિવેદનના કેટલાક કલાક પહેલા ભારતીય જનતા પાર્ટીએ રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવાની વાત કહી હતી. બીજેપીએ દાવો કર્યો હતો કે વર્તમાન સરકાર પાસે બહુમત નથી.