આજે આપણે વાત કરીશું અમરેલી જિલ્લાની. જે દેશના રાજકારણમાં મહત્વનું અંગ ગણાય છે. કારણ કે, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા પણ અમરેલી જિલ્લાના હતા. તો મનુભાઈ કોટડીયા જેવા ગાંધીવાદી નેતા પણ આપણને અમરેલીએ આપ્યા છે. વર્તમાન રાજનીતિની વાત કરવામાં આવે તો.. ભાજપના કેન્દ્રય મંત્રી પુરષોત્તમ રૂપાલા પણ અમરેલીથી આવે છે. જ્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ અમરેલીથી ધરોબો ધરાવે છે.. હાલના વાતાવરણ પ્રમાણે, અમરેલીમાં કોંગ્રેસ તરફી માહોલ છે. કારણ કે, અનેક સમસ્યાઓને લઈને અમરેલીની જનતા ક્યાંકને ક્યાંક પોતાના સાંસદથી નારાજ છે. બીજી તરફ પાકના પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દા પણ છે.. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું.. પરંતુ તે પહેલા એક નજર અમરેલીની હાલની સ્થિતિ અને રાજકીય ગણિત પર પણ કરી જોઈએ..