ભાજપનો છેડો છોડ્યા પછી કોંગ્રેસમાં જનારા શત્રુધ્ન સિન્હાને પાર્ટીમાં માત્ર ગણતરીના દિવસો થયા હશે કે કોંગ્રેસના નેતાઓની નારાજગી તેમના વિરુદ્ઘ થવા લાગી છે. શત્રુધ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા વિરુદ્ઘ લખનઉ લોકસભા સીટમાં ચૂંટણી મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતરેલા આચાર્ય પ્રમોદ કૃષ્યમે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, 'શત્રુ પોતાનો પાર્ટી ધર્મ નિભાવે.'
પત્નીના પ્રચાર પર ભડક્યા આચાર્ય:
તમને જણાવી દઇએ કે, શત્રુધ્ન સિન્હા તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસના શામેલ થયા. કોંગ્રેસ તેમણે બિહારની પટના સાહિબ સીટથી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે, જ્યારે તેમની પત્ની પૂનમ સિન્હાને સપામાં લખનઉથી રાજનાથ સિંહની વિરુદ્ઘ મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે લખનઉથી કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉતાર્યા છે.
લખનઉ લોકસભા સીટ પર ગુરુવારે શત્રુધ્ન સિન્હા પત્ની પૂનમ સિન્હાની સાથે નામાંકન અને રોડ શોમાં શામેલ થયા, જે સપામાંથી ઉમેદવાર છે. આ બાબત પર કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ કૃષ્ણમ ભકડી ગયા અને કહ્યુ કે, ''શત્રુધ્ન સિન્હાની પત્નીને પ્રચારમાં આવ્યા, મારું કહેવુ છે કે તેઓ પાર્ટીનો ધર્મ નિભાવે અને મારા માટે પ્રચાર કરે.''
તમને જણાવી દઇએ કે, લખનઉથી રાજનાથ સિંહ વિરુદ્ઘ સપાએ તાજેતર ભાજપને છોડીને કોંગ્રેસમાં શામેલ થયેલા શત્રુધ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા અને કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉતારીને રાજનીતિક લડાઇને રસપ્રદ બનાવી દીધી છે. જોકે ત્રણેય મુખ્ય રાજનીતિક દળના ઉમેદવાર લખનઉની બહારના છે. લખનઉ લોકસભા સીટ ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. જ્યાં 1991થી સતત ભાજપ આવી રહી છે, સપા અને બસપાની આ સીટ પર કોઇ પોતાનું ખાતું નથી ખોલી શકી.
રાજનાથ લખનઉ સીટમાં ફરી ચૂંટણી મેદાન ઉતાર્યા છે. મંગળવારે તેમણે નામાંકન દાખલ કર્યુ. રાજનાથ સિંહ મૂળરૂપે ચંદૌલીમાં રહેનાર છે. સપાના કાયસ્થ મતદાતાઓને ધ્યાન રાખીને પૂનમ સિન્હા પર દાવ રમવામાં આવ્યો છે. પૂનમ સિન્હા બિહારના પટનામાં રહેતા હતા અને હવે મુંબઇમાં રહે છે. ત્યારે કોંગ્રેસે બ્રાહ્મણ અને મુસ્લિમ સમીકરણની મદદથી રાજનાથને માત આપતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પર વિશ્વાસ જતાવ્યો છે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી લખનઉ સંસદીય સીટ પર 1991, 1996, 1998, 1999 અને 2004 સુધી સતત જીત દાખલ કરી છે. વાજપેયીને લખનઉમાં ન તો રાજ બબ્બર માત આપી શક્યા, ન તો મુઝફ્ફર અલી અને ન તો રાજા કર્ણ સિંહ. 2009માં ભાજપમાં અટલજીના ટંડને આ સીટ પર જીતને સાંસદ પહોંચ્યા. વાજપેયીના દાખલ પર રાજનીતિક સમીકરણ સાધીને રાજનાથ સિંહે 2014માં જંગ જીતી હતી અને કોંગ્રેસના રીતા બહુગુણા જોશીને લગભગ પોણા ત્રણ લાખ વોટોથી માત આપી હતી.