સપા-બસપા ગઠબંધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસી સંસદીય બેઠકથી શાલિની યાદવને ઉમેદવાર બનાવ્યા છે. શાલિની યાદવ પહેલાં કોંગ્રેસમાં હતી. તે વારાણસીથી મેયરની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર લડી ચૂકી છે. જો કે, કોંગ્રેસ પાર્ટી પણ કોઇ દિગ્ગજને અહીં ઉતારશે તો મુકાબલો રસપ્રદ થઇ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) ગઠબંધને વારાણસી બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદી વિરૂદ્ધ શાલિની યાદવ પોતાનું નસીબ અજમાવશે. આ અગાઉ શાલિની યાદવ કોંગ્રેસમાં હતા, તેઓએ પાર્ટી બદલીને સોમવારે સમાજવાદી પાર્ટી જોઇન કરી લીધી હતી. વારાણસીની આ સીટ ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીના ખાતામાં આવી ગઇ છે.
પાર્ટીમાં શામેલ થયા પછી શાલિનીએ કહ્યુ કે, ''હું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના નેતૃત્વમાં કામ કરીશ અને તેમના દિશા-નિર્દેશ અનુસાર આગળ વધીશ.''
શાલિની યાદવ ફેશન ડિઝાઇનર છે, તેમણે રાજનીતિ પોતાના સસરા કેન્દ્રીય મંત્રી સ્વર્ગીય શ્યામ લાલ યાદવથી વારસામાં મળી છે. શાલિની વારાણસીથી મેયર માટેની પણ ચૂંટણી લડી ચૂકી છે. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં રહેનારા શાલિની યાદવાની લગ્ન સ્વર્ગીય શ્યામલાલ યાદવના દિકરા અરૂણ યાદવની સાથે થયા છે. શાલિનીએ બનારસ હિંદૂ યૂનિવર્સિટીમાંથી ઇંગ્લિશમાં બીએ ઓનર્સ કર્યુ છે, જે પછી તેણે ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમાં કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, શાલિની યાદવને ખાસ કોઇ રાજનીતિક સફર નથી રહ્યુ પરંતુ તેમનો પતિ અરૂણ યાદવ જરૂરથી પાર્ટીમાં સીધી રીતે જોડાયેલ છે. શાલિની યાદવે પોતાની રાજનીતિક સફર 2 વર્ષ પહેલા શરૂ કર્યુ છે.
શાલિની યાદવના સસરા શ્યામ લાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યા હતા, જેમનું કોંગ્રેસ નહી પરંતુ ગાંધી પરિવારની સાથે સીધો સંબંધ હતો. 1984માં વારાણસીની લોકસભા સીટ પરથી સાંસદ તરીકે પસંદ થયા, જે પછી રાજ્યસભાના સભ્ય બન્યા અને 1988માં રાજીવ ગાંધીની સરકારમાં કેન્દ્રીય મંત્રી બન્યા. શ્યામ લાલ યાદવ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન બન્યા.
શાલિની યાદવ 2017માં થયેલા નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર મેયર પદના ઉમેદવાર તરીકે પસંદ થયા.જોકે શાલિની યાદવ ભાજપના મૃદુલા જાયસવાલથી હારીની બીજા સ્થાન પર આવી. શાલિની યાદવને કુલ 1.14 લાખ વોટ મળ્યા હતા. 2019માં લોકસભા ચૂંટણીમાં સપાએ વારાણસી સીટ પરથી તેમને ઉમેદવાર તરીકે ઉતારી છે, જ્યાં તેમની વિરુદ્ઘ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છે. મોદી બીજી વખત વારાણસી સીટ પરથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી આવતા અગાઉ વારાણસીથી 2009ની ચૂંટણી બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ લડી હતી અને જીત મેળવી હતી. 2014માં પણ જોશી અહીંથી જ લડવા ઇચ્છતા હતા, પરંતુ મોદીના કારણે તેઓને આ સીટ છોડવી પડી હતી. 1952માં વારાણસી (સેન્ટ્રલ)થી કોંગ્રેસના રઘુનાથ સિંહને જીત મળી હતી અને તેઓ 1952 સુધી અહીંથી સતત 3 વખત વિજયી રહ્યા હતા. 1967ની ચૂંટણીમાં સત્યનારાયણ સિંહે કોમ્યુનિસ્ટ પાર્ટીની ટિકિટ પર લડ્યા અને અહીંથી તેઓને જીત મળી.
1990ના દાયકામાં દેશમાં મંદિર આંદોલન શરૂ થયા બાદ ભાજપ એક નવી તાકાત તરીકે સામે આવ્યું અને 1991થી 1999 સુધી સતત 4 ચૂંટણીમાં બીજેપીને જીત મળી હતી. 2004ની ચૂંટણીમાં કોંગ્રેસે એક દાયકા બાદ વાપસી કરી. કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર રાજેશ કુમાર મિશ્રાએ અહીંથી 3 વખતના સાંસદ શંકર પ્રસાદ જયસ્વાલને હરાવી દીધા. 2009ની ચૂંટણીમાં બીજેપીના કદાવર નેતા મુરલી મનોહર જોશીને ટિકીટ આપી અને તેઓએ જીત મેળવીને પોતાની પાર્ટીને પકડ મજબૂત બનાવી. 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને અહીં આવીને મોટી જીત મળી અને દેશનું પ્રધાનમંત્રી પદ મેળ્યું. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીએ એકવાર ફરીથી બીજેપીના ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે.