પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના જમ્મૂના કઠુઆની સભામાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસ પર નિશાનો સાધ્યો. PM મોદીએ કહ્યુ કે, ''જલિયાંવાલા બાગમાં રાખવામાં આવેલી શ્રદ્ઘાંજલિ સભામાં પણ કોંગ્રેસની રાજનીતિ હતી, જ્યાં પજાંબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે તો ગયા, પરંતુ ઉપરાષ્ટ્રપતિ સાથે ના ગયા.''
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, હું કાલની જ વાત જણાવુ છે. આપણા પડોશીની ઘટના છે. દેશભરમાં જલિયાંવાલા બાગના 100 વર્ષ પૂરા થવા પર શહીદોને શ્રદ્ઘાજલિ આપી રહ્યો હતો, ત્યારે આ કાર્યક્રમમાં પણ કોંગ્રેસની રાજનીતિ કરી રહ્યુ છે. દેશ ઉપરાષ્ટ્રપતિ સરકારના કાર્યક્રમમાં જલિયાવાંલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા, પરંતુ તેમના આ કાર્યક્રમમાં કોંગ્રેસના મુખ્યમંત્રી જ ગાયબ હતા, કોંગ્રસ પરિવારની ભક્તિમાં વ્યસ્ત હોવાથી તેમણે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.
PM Modi in Kathua, J&K: The entire country was commemorating #JallianwalaBaghCentenary yesterday but Congress politicised this sensitive occasion too. The Vice President was in Jallianwala Bagh for govt event, he paid tribute to the martyrs but Congress' CM was not there. (1/2) pic.twitter.com/tsiIGpNZWD
PM Modi in Kathua, J&K: The entire country was commemorating #JallianwalaBaghCentenary yesterday but Congress politicised this sensitive occasion too. The Vice President was in Jallianwala Bagh for govt event, he paid tribute to the martyrs but Congress' CM was not there. (1/2) pic.twitter.com/tsiIGpNZWD
PM મોદીએ કહ્યુ કે, ''મેં દેશભરમાં ભ્રમણ કર્યુ અને 2014માં વધારે લહેર જોઇ રહ્યો છું. મેં જેટલા પણ સર્વે જોયા છે તેમાં જેટલી સીટ કોંગ્રેસને મળી રહી છે તેના કરતા 3 ગણી વધારે ભાજપને મળી રહી છે, આ માટે કોંગ્રેસની સત્તા આવવી મુશ્કેલ છે.''
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના પક્ષમાં સભા:
પ્રધાનમંત્રીએ કઠુઆની રેલીમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની પક્ષમા કરી, જે ઉધમપુર લોકસભા સીટના અંતર્ગત આવે છે. ગત વખતે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કોંગ્રેસના ગુલામ નબી આઝાદને હરાવ્યા હતા. આ વખતે કોંગ્રેસે જિતેન્દ્ર સિંહ વિરુદ્ઘ પૂર્વ કેન્દ્રીય મંત્રી કરણ સિંહના દિકરા વિક્રમાદિત્ય સિંહને ઉભા રાખ્યા છે.
બપોર પછી અલીગઢ અને મુરાદાબાદમાં કરશે રેલી:
ઠુઆમાં રેલી કર્યા બાદ મોદી ઉત્તરપ્રદેશના અલીગઢ અને ત્યારબાદ મુરાદાબાદમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. બન્ને રેલીઓ દ્વારા તેઓ બીજા ચરણની આઠ લોકસભા બેઠકો , નગીના, અમરોહા બુલંદશહર , અલીગઢ, હાથરસ , મથુરા, આગરા અને ફતેહપુર સીકરીમાં મત મેળવવાના તમામ પ્રયાસો કરશે.જો કે હાલ આ આઠ બેઠકો પર ભાજપનો કબ્જો છે. બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે યોજાશે.
ઉત્તરપ્રદેશમાં મોદીની રેલીઓ કાર્યક્રમ નક્કી:
પ્રધાનમંત્રીની આગામી સભાઓનો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે. બરેલી અને ઇટામાં 20 એપ્રિલના રેલી છે. 25 એપ્રિલના બાંદામાં સભા કરશે, જે પછી 24 એપ્રિલના વારણસી પહોંચશે. 26 એપ્રિલના નામાંકન કર્યા પછી 27 એપ્રિલના કન્નોજ, હરદોઇ અને ધૌરહરામાં રેલીઓને સંબોધિત કરશે.