ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લગાવવાના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. લોકસભાએ ક્રિપ્ટો ટેક્સ સંબંધિત સુધારાને મંજૂરી આપી દીધી છે.
ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લગાવવાના નિયમો વધુ કડક
લોકસભાએ ક્રિપ્ટો ટેક્સ સંબંધિત સુધારાને મંજૂરી આપી
નફા પર ટેક્સ, નુકસાન સરભર નહીં થાય
Cryptocurrency Tax Bill
જો તમે ક્રીપ્ટોમાં ઇન્વેસ્ટ કરતાં હોવ તો આ સમાચાર તમારા કામના છે. ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લગાવવાના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. લોકસભાએ ક્રિપ્ટો ટેક્સ સંબંધિત સુધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે ફાઇનાન્સ બિલ 2022માં કેટલાક સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને આજે મંજૂર કરવામાં આવ્યો છે.
મંજૂરી સાથે, 1 એપ્રિલથી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટો ટેક્સ પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફાઇનાન્સ બિલમાં સુધારા દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સનાં સંદર્ભમાં કરવેરા અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. કોઈપણ એક ડિજિટલ એસેટમાં ફેરફાર પછીના લાભો અન્ય કોઈપણ ડિજિટલ એસેટમાં નુકસાન દ્વારા સરભર કરી શકાતા નથી. એટલે કે, તે સ્પષ્ટ છે કે જો તમને કોઈપણ ડિજિટલ સંપત્તિમાં ફાયદો થયો છે, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે.
ખરેખર સુધારો શું છે?
વિધેયકની કલમ 115BBH વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સાથે સંબંધિત છે, કલમ 2b મુજબ, કોઈપણ ક્રિપ્ટો એસેટના વેપારથી થતા નુકસાનને આઈટી એક્ટની 'કોઈપણ અન્ય સ્ત્રોત' માંથી મેળવેલી આવક સાથે સરભર કરવામાં આવશે નહીં. સુધારામાં 'અન્ય' શબ્દની બાદબાકી કરવામાં આવી છે. એટલે કે હવે કોઈપણ સ્ત્રોતથી મળેલી આવકમાંથી નુકસાનની ભરપાઈ કરવી શક્ય નથી.
નફા પર ટેક્સ, નુકસાન સરભર નહીં થાય
આ સુધારા પછી, હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે ક્રિપ્ટોની ખોટ કે અન્ય જોગવાઈઓ કોઈપણ અન્ય ક્રિપ્ટોની કમાણી સાથે મિશ્રિત થઈ શકશે નહીં. રોકાણકારે નુકસાન સહન કરવું પડશે જ્યારે નફા પર ટેક્સ ભરવો પડશે. ફાઇનાન્સ બિલ અનુસાર, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ એ કોડ, નંબર અથવા ટોકન હોઈ શકે છે જે ઇલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સફર અથવા ટ્રેડ થઈ શકે છે. આમાં ક્રિપ્ટોકરન્સી અને NFT નો સમાવેશ થાય છે. જે હમણાં તાજેતરના ભૂતકાળમાં વધુને વધુ લોકપ્રિય બન્યા છે. તે જ સમયે, તેઓ રિટર્ન્સમાં પણ મોખરે રહ્યા છે. ક્રિપ્ટો કરન્સીમાં કોઈ નિયમનકારી ભૂમિકા નથી, તેથી સરકારોમાં તેની પ્રેક્ટિસ અંગે ચિંતા છે. સુધારા બાદ ક્રિપ્ટો માટેના નિયમો વધુ કડક બન્યા છે
બજેટમાં થઈ હતી મોટી જાહેરાત
બજેટ 2022માં મોદી સરકારે ડિજીટલ કરન્સીને લઇ મોટી જાહેરાત કરી છે. RBI વર્ષ 2022માં ડિજીટલ કરન્સી લોન્ચ કરશે. તેમજ ક્રિપ્ટોકરન્સીથી લેણદેણ પર ટેક્સ પર નાખવામાં આવ્યો છે. ક્રિપ્ટોકરન્સીથી થયેલી આવક પર સરકારે 30 ટકા ટેક્સની જાહેરાત કરી છે. હાલના સમયે બીટ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીથી દેશમાં ઉહાપોહની સ્થિતિ છે. હાલ દેશમાં 10 કરોડ લોકોએ 7 લાખ કરોડનું નિવેશ આમાં કરી ચૂક્યા છે. આ શિયાળાના સત્રમાં બીટ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીનું બિલ રજૂ થવાની સંભાવના હતી પણ કાયદાકીય અડચણો બાદ આ શક્ય બને તેમ ન હતું. પણ
ક્રિપ્ટો કરન્સીમાં નુકસાન થશે તો પણ ટેક્સ ભરવો પડશે
હવે ક્રિપ્ટો કરન્સી માટે બ્લોક ચેન અને અન્ય ટેક્નોલોકજીનો ઉપયોગ કરાશે. હવે ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે.દરોડા દરમિયાન ઇન્કમ પર કોઇ સેટલમેન્ટ નહી થાય. ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ નહી લાગે
ભારતની પોતાની ડિજિટલ કરન્સી હશે
બજેટમાં સરકારે દેશની પોતાની ડિજિટલ કરન્સીની વાત કરી છે. ભારત સરકાર પોતાની ક્રિપ્ટો(ડિજિટલ) કરન્સી લોંચ કરશે. હાલમાં વિશ્વમાં અલગ અલગ પ્રકારની ડિજિટલ ( ક્રિપ્ટો) કરન્સી છે. વિશ્વની લગભગ તમામ ક્રિપ્ટો કરન્સી પ્રાઇવેટ કરન્સી છે. આ ડિજિટલ કરન્સીની પારદર્શિતા પર સવાલ ઉભા થતા હતા. આંતરાષ્ટિય ક્રિપ્ટો કરન્સીમાં બ્લેક નાણા અને ગેરકાયદે પ્રવૃતિ જેવા પ્રશ્વો રહેતા. હવે ભારત સરકાર આ પ્રશ્નના સમાધાન માટે પોતાની ડિજિટલ કરન્સી લોંચ કરશે. દેશમા હાલમાં સેંકડો લોકો વિશ્વિક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરે છે. ભારતની પોતાની ડિજિટલ કરન્સીથી નાણા સલામતી વધશે. દેશમાં ડિજિટલ કરન્સીના કારણે ટેક્સની પણ આવક થશે.